પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે. પ્રેમ એક એવી અનૂભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય.પ્રેમ એટલે દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે.એકબીજાથી દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ.
પ્રેમ એટલે એક એવો સંબંધ કે જે જેમ જેમ સમય જાય તેમ તેમ વધુને વધુ જોડાતો જાય છે,વધુ ને વધુ ખીલતો રહે છે.પ્રેમ એટલે જતું કરવું.ધણીવાર તમારી વચ્ચે વિવાદ થાય છે ત્યારે તમે સાચા પણ હોવ છતાં પણ તમે પોતાની સાચા-ખોટાની ચિંતા કર્યા વગર પ્રેમને પ્રાધાન્ય આપો છો.‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ’ મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ’
જ્યાં સુધી યુવક અને યુવતી વચ્ચેનો પ્રેમ મા-બાપ, ભાઈ-બહેન, મિત્રો સાથેના પ્રેમ જેવો પ્રેમાળ અને પવિત્ર નહીં હોય ત્યાં સુધી એ પ્રેમ નથી જ.પ્રેમ ક્યારેય સમયાન્તરે બદલાતો નથી. “હું તને ચાહું છું” બસ… આટલું જ.. પ્રેમ આ સિવાય કશું જ માંગતો નથી.
પ્રેમમાં દોષ ક્યારેય દેખાય નહીં.માતા-પિતા થી લઇ પ્રેમી પ્રેમિકા વચ્ચેના પ્રેમમાં જો કોઈ જોડતી કડી હોય તો તે છે-સમર્પણ.જ્યાં સમર્પણ છે ત્યાં ક્યારેય પ્રેમ હાર્યો નથી. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ.પ્રેમ જીવનરેખા ભલે હોય પણ તે ક્યારેય વધઘટ ધરાવતો નથી.વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ.પ્રેમમાં ક્યારેય નફો ખોટ હોતી નથી.
આટલા બધા સમય પછી પણ સૂર્ય ક્યારેય પૃથ્વીને કહેતો નથી, “તું મારી ઋણી છું.”જુઓ આવા પ્રેમ સાથે શું ઘટે છે!—તે આખા આકાશને અજવાળે છે.(હાફિઝ)
સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. પ્રેમ વ્યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય.પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.પ્રેમની સચ્ચાઈ ચકાસવા આ વિધાન અચૂક યાદ રાખવું:
જુઓ આવા પ્રેમ સાથે શું ઘટે છે!—તે આખા આકાશને અજવાળે છે.(હાફિઝ)
સાચો પ્રેમ ઘાટ વગરનો હોય. પ્રેમ વ્યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. સાચા પ્રેમમાં અપેક્ષા ના હોય.પ્રેમમાં સ્વાર્થ ક્યારેય ના હોય. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.પ્રેમની સચ્ચાઈ ચકાસવા આ વિધાન અચૂક યાદ રાખવું:
“જો કોઈ તમારાથી દૂર જઈ રહ્યું હોય તો એને જવા દો.. જો એ સાચે જ તમારા હશે તો ચોક્કસ પાછા આવશે. અને જો ન આવે તો સમજી લો કે એ તમારા હતા જ નહીં.”
-શૈલેષ રાઠોડ