બહુ કપરો કાળ આવ્યો છે તેની ના નહીં.
તેથી તમને ચિંતા થતી હતી, તણાવ અનુવતા હશો, અકળાતા હશો, દુખ અનુભવતા હશો, કંટાળતા હશો, એકાકીપણા અને હતાશાની લાગણી થતી હશે.
રોગચાળા વચ્ચે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે માટે બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસે 10 ટિપ્સ તૈયાર કરી છે:
- ફોન, વીડિયો કોલ કે સોશિયલ મીડિયાથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમને ચિંતા થતી હોય તે બાબતની ચર્ચા કરો
- બીજા લોકોની ચિંતાને પણ સમજવાની કોશિશ કરો
- તમારું નવું રૂટિન હોય તેને સુચારુ રીતે ચલાવવા માટે વ્યવહારુ માર્ગો શોધો, શાકભાજી કેમ લાવવા, ઘેરથી કામ કેમ કરવું વગેરે
- તંદુરસ્તીની કાળજી લો: નિયમિત કસરત કરો, સંતુલિત પૌષ્ટિક ખોરાક લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો. ધૂમ્રપાન ટાળો અને વધારે શરાબપાન ના કરો
- માહિતી યોગ્ય જગ્યાએથી જ મેળવો અને મહામારી વિશે વાંચવાનું અને જોવાનું મર્યાદિત પ્રમાણમાં જ રાખજો
- લાગણીઓનો સામનો કરો: કેટલીક સ્થિતિ આપણા કાબૂમાં નથી તેવું કબૂલવામાં કશું ખોટું નથી. તેના બદલે તમારા નિયંત્રણમાં હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો, જેમ કે તમારું વર્તન
- તમને મજા પડતી હોય તે પ્રવૃત્તિ કરો. શક્ય ના હોય ત્યારે સ્થિતિને સ્વીકારી લો, નવું શીખો.
- વર્તમાન પર જ ધ્યાન કેન્દ્રીત કરો અને યાદ રાખો કે આ સંકટ થોડા સમય માટે જ છે
- રૂટિન જેવું રાખીને સારી ઊંઘ લો અને સૂતાં પહેલાં કેફેન તથા સ્ક્રીન ટાઇમ ઓછો કરો