સરસ અને સુંદર શાળા કેવી હોય છે,ગુણવત્તાના માપદંડના આધારે
-શૈલેષ રાઠોડ
આપણી સુંદર શાળા
શાળા આપણા આધુનિક જીવનનો પાયો છે.પરિવાર પછી, શાળાથી જ નક્કી થાય છે કે આપણું જીવન કઈ દિશાએ જશે.આપણી શાળા આપણને જીવન માટે તૈયાર કરે છે, જ્ઞાનની શક્તિ આપે છે. મિત્રોનો સાથ અને ઘણી સુંદર યાદો પણ આપે છે. તો તમારાં બાળકો માટે સારી અને સુંદર શાળા કેવી રીતે શોધવી?
એલન મસ્કે શું કર્યું
અમેરિકાના મોટા ઉદ્યોગ સાહસિક એલન મસ્કે કંપનીની અંદર શાળાઓ ખોલીને પોતાનાં બાળકોને આધુનિક વૈજ્ઞાનિક શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું. મસ્ક માને છે કે તે જે ઇચ્છે છે એ અન્ય કોઈ શાળા કરી શકે નહીં
મુખ્ય પરિમાણો
પાંચ બાબત મહત્ત્વની હોય છે –
1) મેનેજમેન્ટ વિચાર
2) જુસ્સાદાર શિક્ષકો
3) વિદ્યાર્થીઓનું સન્માન
4) શીખવાનું પરિણામ
5) ખુશાલી
(1) મેનેજમેન્ટ વિચાર
મેનેજમેન્ટનું વિઝન નક્કી કરે છે કે ટીમમાં શિક્ષક કોણ હશે, પ્રવૃત્તિઓ શું હશે અને બાળકોના શીખવાનાં પરિણામો શું હશે. શાળાના સંચાલને આધુનિક વિચારોનું હકારાત્મક અને પ્રોત્સાહક વાતાવરણ બનાવીને શાળામાં શૈક્ષણિક સફળતા માટે પ્રયત્ન કરવા જોઈએ. “સારી અને સુંદર શાળા”ના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓના સુખી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, માત્ર પ્રવેશ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ પરંતુ શાળાના સર્વાંગી વિકાસ માટે સતત સક્રિય રહેવું જોઈએ.જ્યાં ભૂલ જણાય તો ટકોર અને જ્યાં પ્રગતિ દેખાય ત્યાં સન્માન કરી શાળાને ધબકતી રાખવી જોઈએ.
મેનેજમેન્ટ શું કરી શકે?
(2) ઉત્સાહી શિક્ષકો – વિદ્યાર્થીના જીવનમાં માતા-પિતા પછી શિક્ષકો સૌથી વધુ પ્રેરિત અને પ્રભાવશાળી હોય છે. શિક્ષકોની ભણાવવાની શૈલી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા નક્કી કરે છે. તેથી સારી શાળા એવી હોવી જોઈએ, જેમાં પ્રશિક્ષિત અને લાયક શિક્ષકો હોય તથા વિદ્યાર્થીઓને શીખવાનું સારું વાતાવરણ પૂરું પાડે, તેમને ગોખણપટ્ટીના મશીન ન બનાવે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવામાં સારા શિક્ષકોનો પણ મોટો ફાળો હોય છે.શિક્ષક સ્વયં શીખતો રહે તો જ તે રીચાર્જ થશે.શિક્ષક વિધાર્થીનો આદર્શ હોય તેણે સ્વયં નીતિમાન,પ્રમાણિક,ચારિત્રવાન,મૂલ્યનિષ્ઠ અને જ્ઞાની રહેવું પડશે.શાળામાં પ્રવેશેલો શિક્ષક નિરુત્સાહી,બેજવાબદાર કે શિક્ષક પ્રશ્નોથી ઘેરાયેલો ન હોવો જોઈએ.તેનો ઉત્ત્સાહ જ શાળાને જીવંત બનાવે છે.
શિક્ષક શું કરી શકે?
(3) વિદ્યાર્થીઓનો આદર –શાળાની સફળતાનો પાયો છે બાળકોનો આદર-સન્માન. એનો અર્થ એ છે કે શાળાની આખી સિસ્ટમ વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધે, વિકાસ કરે અને ખુશ રહે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોજબરોજના નિર્ણયો આ સુવર્ણ નિયમ પર આધારિત છે. આનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ સામેલ થઈને અભ્યાસ કરે છે, કારણ કે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.વિધાર્થીઓનું ક્યારેય અપમાન ન કરવું.ભૂલ થાય તો પ્રેમથી સમજાવો.જરૂર પડે કડક વલણ અપનાવવું પડે ત્યારે પણ બાળકનું હિત જ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ.
શિક્ષક કઈ પદ્ધતિ અપનાવી શકે?
(4) શીખવાનું પરિણામ – સો વાતની એક વાત – સિસ્ટમે એ જોવું પડશે કે વિદ્યાર્થીઓનું ભણતર એવું હોય કે તે દરેક પરીક્ષામાં પ્રદર્શન કરે. એટલું જ નહીં, એનો અંગ્રેજી,ગણિત અને વિજ્ઞાનનો પાયો મજબૂત થતો જાય. તે માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી, પરંતુ બેઝને મજબૂત કરવા માટે છે, જેથી વિદ્યાર્થી XI ધોરણ પછી કારકિર્દીના વિકલ્પો માટે તૈયાર થઈ શકે.શિક્ષકો અને મેનેજમેન્ટે આ માટે પ્રાથમિક શિક્ષણથી સજ્જ બનવું જોઈએ.અવનવી પધ્દતિઓનો ઉપયોગ કરી અંગ્રેજી,ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો રસપ્રદ બનાવી પરિણામલક્ષી તૈયાર કરવા જોઈએ.
ઉત્તમ પરિણામ માટે શું કરી શકાય?
(5) ખુશી– ભાવાવરણ – વિદ્યાર્થીઓ દરરોજ સવારે શાળાએ જવા માટે ઉત્સુક હોય તે શાળાની સફળતાનું માપદંડ છે. આ એક એસિડ ટેસ્ટ છે.બાળકોને શાળામાં ઉત્તમ ભાવાવરણ-વાતાવરણ આપવું એ શાળાની જવાબદારી છે. નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે “જગતને બદલવા માટે શિક્ષણ એ શ્રેષ્ઠ માર્ગ છે”. હેપી એજ્યુકેશન ચોક્કસપણે આ કરવા માટેની સૌથી ઝડપી રીત છે!
ઉત્તમ ભાવાવરણ માટે શિક્ષક શું કરી શકે?
આ પાંચ મોટી બાબત સિવાય જે મહત્ત્વનું છે.
ભાગ લેવાની તક – વર્ગનું દરેક બાળકને તક મળે તો તેની બાળકોના ભણતર પર હકારાત્મક અસર કરે છે. સ્પર્ધાથી લઇ શૈક્ષણિક કાર્યમાં દરેક વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક આપવી,પ્રશ્નો પૂછવા પ્રેરિત કરવા અને અભિપ્રાયો આપવાની વધુ તકો આપવી જોઈએ.બાળકોની સહ્ભાગીરી-સામેલગીરી બાળકમાં આત્મવિશ્વાસ જગાવે છે.
અધ્યાપનમાં ટેક્નોલોજી અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ – અધ્યાપનમાં વીડિયો અને મલ્ટીમીડિયાનો ઉપયોગ શીખવાના અનુભવની ગુણવત્તામાં વધારો કરે છે, મુશ્કેલ ખ્યાલોને સમજવામાં સરળ બનાવે છે અને શીખવાનું ઓછું બોજારૂપ બનાવે છે.
અભ્યાસેતર – સહઅભ્યાસની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સામાજિક અને બૌદ્ધિક કૌશલ્યો, નૈતિક મૂલ્યો અને વ્યક્તિત્વના વિકાસમાં મદદ કરે છે. આ પ્રવૃત્તિઓ ધરાવતી શાળાઓ રમતગમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારી સાબિત થાય છે. તે ટીમ સ્પિરિટ, નેતૃત્વ કૌશલ્ય પણ વિકસાવે છે.
ખિસ્સા પર વધુ ભાર ન રાખો – ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પૈસાની જરૂર છે, તેમ છતાં શાળા ખૂબ ખર્ચાળ ન હોવી જોઈએ. વાલીઓ પર એટલું દબાણ ન હોવું જોઈએ કે આખું બજેટ ખોરવાઈ જાય.
શાળા પ્રદર્શન – તીવ્ર દિમાગ ધરાવતા મોટા ભાગનાં બાળકો કોઈપણ વાતાવરણમાં પ્રદર્શન કરી શકે છે, શાળાના પ્રદર્શનનો અર્થ એ છે કે સારી શાળામાં વિવિધ પરીક્ષાઓમાં સરેરાશ વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું અને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે એવું હોવું જોઈએ.
- તમારી શાળાને વેગવંતી ઉત્તમ બનાવવા શું જરૂરી છે?
શિક્ષકનું નામ:
શાળાનું નામ,સરનામું:
મોબાઈલ નંબર:
2.મેનેજમેન્ટ પાસે તમારી શું અપેક્ષા છે?
૩. એક શિક્ષક તરીકે શાળા અને બાળકના વિકાસ માટે તમે શું યોગદાન આપશો?શું કરશો?