નડિયાદ ખાતે કેથોલિક સીનીયર સીટીઝન એસોસિએશન મિશનરોડનો વાર્ષિક દિન સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉના સાનિધ્યમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા ડૉ. પ્રીતિ રાઠોડે સિનિયર સીટીઝન એટલે તોડનાર નહીં જોડનાર એમ જણાવી સમાજ અને પરિવારમાં વડીલોની ભૂમિકા ખૂબ જ હકારાત્મક રીતે સમજાવી હતી.તેમણે જણાવ્યું કે, “ઘરમાં વડીલ વૃક્ષ છે પણ સમાજમાં વડલો છો. બાગનું જતન કર્યું છે, તેને વિકસવા દો.તમારું વિશાળ હૃદય સહુને નિરાંત આપનાર છે.તમે હવે તમે તમારા માટે નિરાંતનો સમય કાઢો.પોતાના બાળકોમાં શ્રદ્ધા રાખો એને વિકસવા દો,પ્રેમપૂર્વક જતન કરો. તમે સમાજ અને કુટુંબ માટે નમૂનારૂપ છો. બાળક આપનું જ અનુકરણ કરશે.”
આ પ્રસંગે સિનિયર સિઝન માટે ખાસ પરમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાધર જોસફ અપ્પાઉએ જણાવ્યું હતું કે, આ એવો સુવર્ણ સમયગાળો છે જ્યારે, પ્રભુની વધુની વધુ નજદીક રહેવાનો અને પોતાના અનુભવનો કુટુંબને અને સમાજને લાભ આપવાનો સમય છે.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે મંગલદીપ પ્રગટાવવામાં આવ્યો હતો.સીનીયર સીટીઝન એસોસિએશન મિશન રોડના કાર્યકારી પ્રમુખ શ્રી પુષ્પાબેન વાઘેલા મંત્રી શ્રી આર.કે પરમાર તથા શ્રી રમેશચંદ્ર પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત કૅથલિક સમાજના નવા નિયુક્ત થયેલા પ્રમુખશ્રી સુભાષભાઈ યુ. મેકવાનનું શૉલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.તેજસ્વી વિધાર્થી પ્રિયાંશ વિજયભાઈને ઇનામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર વર્ષનો વાર્ષિક અહેવાલ શ્રી અનિલ રોન્ઝાએ પ્રસ્તુત કર્યો હતો.કાર્યકારી પ્રમુખશ્રીએ આગામી વર્ષના આયોજનો વિશે ટૂંક માહિતી આપી હતી.
ત્યારબાદ આમંત્રિત મહેમાન શ્રીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા.ડૉ પ્રીતિ રાઠોડે વડીલોને કુટુંબ અને સમાજની ધરોહર ગણાવી જણાવ્યું હતું કે, ‘યુવાન પેઢી તમને આદર્શ તરીકે જુએ છે.’ વર્તમાન સમયને અને વર્તમાન સમસ્યાઓને આવરી લઈને સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું.
મંત્રીશ્રી રજનીકાંત કે. પરમારે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી અને પૂજ્ય ફાધર નટુએ અંતિમ પ્રાર્થના કરાવી હતી.
શ્રી આર કે. પરમાર, શ્રી સાયમન ડાભી, પુષ્પાબેન વાઘેલા, શ્રી ઇશ્વરભાઇ, શ્રી વિજય રાજ તથા શ્રી અનિલ રોન્ઝાની અથાક મહેનત બદલ આભાર માનવમાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અનિલ રોન્ઝાએ કર્યું હતું.