ખંભાતના અભાવગ્રસ્ત ભાલ પંથકમાં ૧૦ બાળસંસ્કાર કેન્દ્રોમાં ૩૦૦ બાળકો મેળવે છે ઉત્તમ નિર્ભયી મુક્ત શિક્ષણ :
ન મારનો ડર,ન કામનો ડર,અહી મળે છે ભાર વિનાનું શિક્ષણ.ખંભાતના અભાવગ્રસ્ત ભાલ પંથકમાં ૧૦ બાળસંસ્કાર કેન્દ્રોમાં ૩૦૦ બાળકો મેળવે છે ઉત્તમ નિર્ભયી મુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.ખંભાતમાં શાળા સમય બાદ અને પહેલાં,શની રવિની રજાઓમાં બાળકોએ દોડતા દોડતાબાળસંસ્કાર કેન્દ્રમાં આવે છે.તેનું કારણે અમે આ બાળકોને મુક્ત મને તેમની પ્રવૃતિઓ કરવા દઈએ છીએ.બાળક નીર્ભયી બની મુક્ત મને શિક્ષણ લેવા આવે છે.અમારે ત્યાં બાળકો પોતાની આંતરિક શક્તિ ખીલવે તે માટે ટ્રેન શિક્ષકો અવનવા ઇનોવેટીવ પ્રોજેક્ટ કરે છે.
આ શબ્દો બાળસંસ્કાર કેન્દ્રોના સંચાલક અને પોચાભાઈ ફાઉન્ડેશનબ મેનેજીંગ તંત્રી હિમ્મતભાઈ ચૌહાણે ઉચ્ચાર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ઔથી વધુ સંઘર્ષ અને અભાવની સ્થિતમાં ભાલ પંથકના બાળકો શિક્ષણ લઇ રહ્યા છે તેમને ઉત્તમ કોટિનું અને મુક્ત શિક્ષણ આપવામાં આવે છે.૩૦૦ બાળકોની આંતરિક શક્તિઓને ખીલવાનો અમારો પ્રયાસ છે.આ બાળકોને આવનાર દિવસોમાં આઈ.એસ,જી.પી એસ.સી,સહિતની પરીક્ષાઓ માટે તાલીમ પાયામાંથી જ આપવામાં આવશે.
શિક્ષકોને રોજી અને ઘડતર
ગાંધીનગર સ્થિત કોબાની નવજીવન સંસ્થા અને પોચાભાઈ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલતા બાળસંસ્કાર કેન્દ્રો જીવન ઘડતરનું ઉતમ માધ્યમ છે.અહી ગ્રેજ્યુએટ શિક્ષકોને તાલીમ આપી કેદ્ન્ર ચલાવવા તાલીમ અપાઈ છે,જે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે.આવા શિક્ષકોને રોજી રોટી તો મળે છે ઉપરાંત આ શિક્ષકોને વધુ અભ્યાસ માટેની સંસ્થા તકો પણ પૂરી પાડે છે.આ બાળકોને સાત્વિક આહાર પણ આપવામાં આવે છે.
ડો.પી.એસ.રાઠોડ
બાળકોમાં અભૂતપૂર્વ સુધારો
બાળસંસ્કાર કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે.બાળકો કલાક્ત્મક વસ્તુઓ બનાવે છે,આકર્ષક પેન્ટિંગ દોરે છે અને રમતગમત માં પણ શ્રેષ્ઠ દેખાવ કરે છે.બાળકોના આઈ ક્યું માટે જીકે ટેસ્ટ લેવાય છે જેમાં પણ આ છેવાડાના બાળકો ઉત્તમ દેખાવ કરે છે.
-હિમ્મતભાઈ ચૌહાણ,મેનેજીંગ ટ્રસ્ટી,”બાળસંસ્કાર”
પોચાભાઈ ફાઉન્ડેશન