(૧) બીજામૃત: ૧૦૦ કિલો બિયારણ (ધાન્ય,તેલીબિયાં, કઠોળ, ઔષધિય, બાગાયતી પાકો તથા શાકભાજીના રોપા) ને પટ આપવા માટે-૫ કિલો દેશી ગાયનું તાજું છાણ, ૫ લિટર ગૌમૂત્ર, ચૂનો પ૦ ગ્રામ, ૧ મુઠ્ઠી વડ નીચેની માટી શેઢા પાળાની માટી રાફડાની માટી, પાણી ૨૦ લિટર, માટલામાં અથવા પ્લાસ્ટિકની ડોલમાં ૨ દિવસ રાખવું અને ત્યારબાદ બીજને પટ આપવો અને છાંયામાં સૂકવવા જેથી બીજનો ઉગાવો સારો મળે છે. અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
(૨) જીવામૃત: દેશી ગાયનું તાજુ છાણ-૧૦ કિલો, ગૌમૂત્ર-૧૦ લિટર, કોઈપણ કઠોળનો લોટ-૨ કિલો, દેશી ગોળ-૨ કિલો, વડ અથવા તળાવની માટી૫0 ગ્રામ, ૨૦૦ લિટર પાણીમાં આ બધું મિશ્રણ કરી ઘડીયાળના કાંટાની દિશામાં હલવવું. દિવસમાં બે વાર આ રીતે પ થી ૭ દિવસ હલાવવું. દરેક પાકમાં ઉપયોગ કરી શકાય છે. જીવામૃ ત જીમનમાં આપવાથી સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઝડપથી વધતાં હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી જમીનમાં રહેલા તત્વો અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવતાં મૂળનો વિકાસ ઝડપી બનેછે.
ઉપયોગઃ ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિથી પિયતની પાણી સાથે • ઊભા પાક પર છંટકાવ (સવારે કે સાંજે) કરીને
પ્રમાણ : ૨0-100 લિટર/એકર ૧૫ દિવસના અંતરે આપવું.
નોંધ : જીવામૃત ભરેલા માટીના કે પ્લાસ્ટિકના બેરલ પર વધુ પડતો સૂર્યપ્રકાશ, ઠંડી તથા વરસાદનું પાણી ન પડવું જોઈએ. જીવામૃત બનાવ્યા બાદ ૧૫ દિવસ સુધીમાં વાપરી દેવું.
(૩) ઘન જીવામૃત: ગાયનું અથવા બળદનું છાણ ૧00 કિલો (૫ થી ૬ મોટા તગારા), ગોળ-૨ કિલો, કોઈપણ કઠોળનો લોટ-૨ કિલો, ગૌમૂત્રપ થી ૬ લિટર, ૧ મુઠ્ઠી વડ નીચેની માટી. ઉપરોક્ત બધી વસ્તુઓનું મિશ્રણ કરી છાંયામાં પથારી સૂકવી નાખવું. સૂકાઈ ગયા બાદ કોથળામાં ભરી દેવું. ઉપયોગ : જમીનની અંતિમ ખેડ પહેલાં પ્રતિ એકર ૨0 કિલો પૂંખી દેવું. રોપાવાળા પાકોમાં રોપાની ફરતે રિંગમાં આપવું.
(૪) પંચગવ્યઃ દેશી ગાયનું તાજુ છાણ-પ કિલો, ગાયનું દૂધ-૨ લિટર, ગાયનું ઘી-પ00 ગ્રામ, ગાયનું દહીં-ર કિલો, ગૌમૂત્ર-૩ લિટર, કેળા પાકેલા૧૨ નંગ, નાળિયેરનું પાણી-૨ લિટર અને શેરડીનો રસ-૨ લિટર. ગાયનું તાજૂ છાણમાં પહેલાં ઘી નાખીને ૧૦ મિનિટ સુધી મસળવું અને આ મિશ્રણને ૩ દિવસ સુધી રાખવું ત્યારબાદ ચોથા દિવસે દહીં, દૂધ, ગૌમૂત્ર, શેરડીનો રસ અને નાળિયેરનું પાણી મિશ્રણ કરી ઘડિયાળના કાંટાની દિશામાં પ મિનિટ હલાવવું. ૨૧ દિવસ બાદ ૧૦ લિટર પાણીમાં પંપમાં ફકત ૩0 મિ.લિ. (૩ %ના માપથી) ઉમેરી ૧૫ દિવસના અંતરે પાક ઉપર છંટકાવ કરવો.
(૫) ગૌમૂત્ર: ગૌમૂત્રનો ઉપયોગ ૧:૧૦ પ્રમાણમાં કરવામાં આવે છે એટલે કે ૧૦ લિટર પાણીમાં ૧ લિટર ગૌમૂત્ર મિશ્રણ કરી છોડ ૨૫ થી ૩૦ દિવસનો એટલે ૧૫ દિવસે છંટકાવ કરવો. જેટલું જૂનુ ગૌમૂત્ર હોય તેટલું સારું છોડને વૃદ્ધિ કરવાની શક્તિ આપે છે.
કુદરતી જંતુનાશક દવાઓ બનાવવાની રીત :
નીમાન્ન: ૧ કિલો લીમડાના પાન અથવા લીંબોળીઓ ખાંડીને રાખો. ૫ લિટર ગૌમૂત્ર, ૫ કિલો ગાયનું તાજુ છાણ ૨૦ લિટર પાણીમાં નાખી હલાવો અને ૨૪ કલાક ઢાંકીને રાખો. ત્યારબાદ દ્રાવણને કપડાથી ગાળી અને પાક ઉપર છાંટવું. છંટકાવઃ ૨૦૦ લિટર પ્રતિ એકર સંગ્રહ ક્ષમતાઃ ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય
નિયંત્રણ : ચૂસિયા જીવાતો, સફેદમાખી તેમજ નાની ઈયળ
બ્રમાસ્ત્ર: પ કિલો લીમડાના પાનની ચટણી, ૨ કિલો કરંજ, સીતાફળ, ધતુરા, એરંડાના પાનની ચટણી ઉપરોક્ત વનસ્પતિઓને ૧૦ લિટર ગૌમૂત્રમાં નાખી બેત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો અને ૨૪ કલાક ઠંડું પડવા દો ત્યારબાદ કપડાથી ગાળી લો.
છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લિટર પાણીમાં ૬ થી ૮ લિટર બ્રમાસ્ત્ર
સંગ્રહ ક્ષમતા: ૬ મિહના સુધી ઉપયોગમાં લઈ શકાય.
નિયંત્રણ: મોટી ઈયળ, ચૂસિયાં પ્રકારની જીવાતો
અગ્નિ: એક કિલો તમાકુના પાન, પ00 ગ્રામ લીલા તીખા મરચા, પ00 ગ્રામ લસણ અને ૫ કિલો લીમડાના પાન. આ બધી વનસ્પતિઓનો માવો બનાવી ૧૦ લિટર ગૌમૂત્રમાં નાખી બે -ત્રણ ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો અને ૨૪ કલાક ઠંડુ પડવા દો ત્યારબાદ કપડાથી ગાળી લો.
છંટકાવઃ પ્રતિ એકર ૨00 લિટર પાણીમાં ૬ થી ૮ લિટર અગ્નિસ્ત્ર
સંગ્રહ ક્ષમતા : ૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય
નિયંત્રણ : પ્રકાંડ કોરી ખાનારી ઈયળ, ફળ કોરી ખાનારી ઈયળ, જીંડવાની ઈયળ વગેરે
દસપર્ણ અર્ક: એક પ્લાસ્ટિકનું પીપ કે માટીનું પાન, ૨ કિલો કરેલાના પાન, ૧૦ સૂંઠનો પાઉડર અને ૨ કિલો ગલગોટાના પાન નાખી દિવસમાં બે વાર (સવારેસાંજે) લાકડાથી હલાવો.
છંટકાવઃ પ્રતિ એકર ર00 લિટર પાણીમાં ૬ થી ૮ લિટર દસપર્ણ અર્ક
સંગ્રહ શક્તિઃ ૬ મિહના સુધી ઉપયોગમાં લઈ શકાય
નિયંત્રણ : તમામ પ્રકારના ચૂસિયા અને બધી જ ઈયળો માટે
મીલીબગ માટે : ર00 લિટર પાણીમાં ૨ લિટર ગૌમૂત્ર, ર00 ગ્રામ દેશી બાવળની સૂકી શીંગોના પાઉડર બનાવી પ લિટર પાણીમાં મિશ્ર કરી ૨૪ કલાક રાખવું ત્યારબાદ કાપડથી ગાળી છંટકાવ કરવો.
કોકડવા માટે :
- ૧00 લિટર પાણી ર થી ૩ કિલો ડુંગળીની ચપણી મિશ્ર કરી ૨ કલાક બાદ છંટકાવ કરવો.
- ૧ કિલો નગોડના પાન ૨ લિટર પાણીમાં લઈ ઉકાળો (૧ લિટર પ્રવાહી થાય ત્યાં સુધી). ઠંડુ પાડી છંટકાવ કરવો.
- 100 લિટર પાણીમાં ૨૫૦ મિ.લિ. દેશી ગાયનું દૂધ, પ0 મિ.લિ. ગૌમૂત્ર, ૪૦૦ ગ્રામ હિંગ મિશ્ર કરી છંટકાવ કરવો.
કુદરતી વૃદ્ધિ પ્રેરક (ગ્રોથ પ્રમોટર) બનાવવાની રીત :
૧૦૦ ગ્રામ તલ એક વાટકામાં લઈ, તલ કૂબે તેટલું પાણી નાખવું. ૧0 ગ્રામ મગ દાણા), ૧૦૦ ગ્રામ અડદ, ૧0 ગ્રામ ચોળી, 100 ગ્રામ મઠ, 100 ગ્રામ દેશી ચણા, 100 ગ્રામ ઘઉં આ મિશ્રણ પાણીમાં ડૂબી જાય તેટલું પાણી નાખવું. ત્રીજા દિવસે સાતેય ધાન્યને પાણીમાંથી કાઢી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરિત થવા માટે લટકાવી દેવા અને પાણીને સાચવવું. અંકુર થાય ત્યારે તેને બહાર કાઢી ચટણી બનાવવી. ત્યારબાદ ૨૦૦ લિટર પાણીમાં ૧૦ લિટર ગૌમૂત્ર અને ધાન્યનું પાણી તથા ધાન્યની ચટણીનું મિશ્રણ કરી ૨ કલાક રાખવું પછી કપડાથી ગાળવું અને ૪૮ ક્લાકમાં છંટકાવ કરવો.
કુદરતી ફૂગનાશક બનાવવાની રીત :
- ખાટી છાશ: ૨૦૦ લિટર પાણીમાં ૧૫ લિટર અને પ લિટર ખાટી છાશ (ત્રણ દિવસની વાસી) ની મિશ્રણ બનાવી છાંટવાથી ફૂગની ઉપદ્રવ ઓછો રહે છે.
- સૂંઠાન્ન: ૨ લિટર પાણીમાં ર00 ગ્રામ સૂંઠનો પાઉડર મિશ્ર કરી ૧ લિટર જેટલું પ્રવાહી થાય ત્યાં સુધી ઉકાળો તથા ૨ લિટર ગરમ દૂધ (એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું) લઈ ર0 લિટર પાણીમાં મિશ્ર કાપડ વડે ગાળીને છંટકાવ કરવો.
સ્ત્રોત: મે-૨૦૧૮,વર્ષ-૭૧,અંક-૧, સળંગ અંક :૮૪૧,કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,