ખંભાતના રાલેજ વિસ્તારમાં આવેલ ચોરખડી ચેકડેમ 7 હજાર ખેડૂતો માટે આશીર્વાદ સમાન
-શૈલેષ રાઠોડ
ચોરખાડી ચેકડેમ ગુજરાતનાં નવાબી નગર ખંભાતના કાંઠા ગાળામાં પ્રશિધ્ધ તીર્થ સ્થળ રાલેજ ગામથી 6 કિમી અને રાજપર થી 3 કિમીના અંતરે ખંભાતના અખાત ઉપર મહી નદીના વહી જતાં પાણીને રોકવા ચોરખાડી ચેકડેમ બનાવવામાં આવ્યો છે.અહી નિર્જન જગ્યા ઉપર અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્યનું નિર્માણ થયું છે.એએ ડેમ 7 હજાર જેટલા ખેડૂતો,પશુપાલકો,નાગરિકો માટે આશીર્વાદ સમાન બન્યો છે.
ચોરખાડી ઉપર આવેલા રાજપુર – કલમસર,બાજીપુરા ગામના તથા પરા વિસ્તારના 8 ગામોના સાત હજારથી વધુ ખેડૂતો માટે આ ડેમ આશાર્વદિત છે.નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ આણંદ દ્વારા ખોરખડી આડબંધ યોજનાની ખાત મૂહર્ત વિધિ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 8-2-2002 ના રોજ કરવામાં આવી હતી.આ સમયે ધારાસભ્ય તરીકે શિરીશભાઈ શુક્લ હતા.આજે આ ચેકડેમ યાયાવર પક્ષી માટે આશ્રય સ્થાન છે.ઉપરાંત આસપાસના ગામો માટે પીએન ઊંપયોગી છે.આ ચેકડેમને કારણે દરિયાઈ ખારાશ અટકી છે અને આસપાસના ગામોમાં ખારા પાણી ને સ્થાને મીઠા પાણીનાજળ સ્તર બન્યા છે.ખેડૂત અગ્રણી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે,કૂવાના જળ સ્તર ઊંચા આવ્યા છે તેમજ પાણીમાથી ફ્લોરાઈડની માત્ર ઘટી છે.અહી પ્રવસાન સ્થળ તરીકે જગ્યાનો વિકાસ થાય તો ખંભાતના અખાત ઉપર વધુ ચેકડેમ બનાવમાં આવે તો ખેડૂતો અને ગ્રામજનોને ફાયદો થાય તો પર્યાવરણ પ્રેમીઓને આકર્ષી શકાય છે.
ફ્લેમિંગોનું પ્રિયતમ સ્થળખંભાતમાં કનેવાલ અને ચોરખાડી વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે આશીર્વાદ સમાન છે.ચોરખાડી વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો અચૂક મુલાકાત લે.એએ સ્થળ ફ્લેમિંગો માટે પ્રિયતમ સ્થળ છે.અહીં કેટલાંક પ્રવાસી ફ્લેમિંગો પક્ષીઓએ કાયમી નિવાસ સ્થાન બનાવી દીધું છે.ખોરાક-પાણી-બેટ અને હરિયાળી આ પક્ષીઓને માફક હોય-ખંભાત મનપસંદ સ્થળ બની ગયો છે.-પર્યાવરણવિદ પ્રા.કેતન શાહ