ખંભાત અથવા કેમ્બે એ બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું. હાલનું ખંભાત શહેર તેનું પાટનગર હતું. રાજ્યની ઉત્તરે ખેડા જિલ્લો અને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો હતો.
બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની ખેડા એજન્સીમાં આવેલું એક માત્ર રાજ્ય હતું, જે ૧૯૩૭માં બરોડા અને ગુજરાત સ્ટેટ એજન્સીમાં ભળી ગઇ હતી.
ખંભાત જે કેમ્બે તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ (૯૦૬ કિમી²) નો વિસ્તાર ધરાવે છે.
ખંભાતની સ્થાપના ઇસ ૧૭૩૦માં ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું.
૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઇ લીધો પરંતુ ૧૭૮૩માં મરાઠાઓએ તેને કબ્જે કર્યું. છેવટે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિ હેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ૧૮૧૭માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વેની શરૂઆત થઇ. ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.
એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.
નવાબો
- ૧૭૩૦ – ૧૭૪૨ જફર નિઝામ-ઇ મુમિન ખાન પહેલો
- ૧૭૪૨ – ૧૭૪૩ નુર ઉદ્દીન મુફ્તાખેર ખાન
- ૧૭૪૩ – ૧૭૮૪ નજ્મ અદ-દૌલા જફર મુમિન ખાન બીજો
- ૧૭૮૪ – ૧૭૯૦ મહમદ કોલી ખાન (મૃ. ૧૭૯૦)
- ૧૭૯૦ – ૨૮ ઓક્ટોબર ૧૮૨૩ ફત અલી ખાન (મૃ. ૧૮૨૩)
- ૧૮૨૩ – ૧૫ માર્ચ ૧૮૪૧ બંદા અલી ખાન (મૃ. ૧૮૪૧)
- ૧૮૪૧ – એપ્રિલ ૧૮૮૦ હુસાયન યાવર ખાન પહેલો (મૃ. ૧૮૮૦)
- ૧૧ જૂન ૧૮૮૦ – ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ નજિબ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક જફર અલી ખાન (જ. ૧૮૪૮ – મૃ. ૧૯૧૫)
- ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ – ૧૯૩૦ …. – ગાદી દેખરેખ
- ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નિઝામ અદ-દૌલા નજ્મ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક હુસાયન યાવર ખાન બીજો (જ. ૧૯૧૧ – મૃ. ….)
પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેલ્ખ સ્તંભતીર્થ તરીકે થયો છે. ખંભાત નગર ટોલેમિ નું કેમેનેશ હોઈ શકે છે અને અગાઉ ખૂબ જ સમૃદ્ધ શહેર તેમજ વ્યાપક વેપાર બેઠક હતું. તેનુ રેશમ, છીંટ અને સોનાના પદાર્થનું ઉત્પાદન પ્રસિદ્ધ હતું. માર્કો પોલો દ્વારા ૧૨૯૩ માં તેનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે કાંપ જામી જવાને કારણે સમુદ્ર માર્ગે ત્યાં પહોંચવું અઘરું થયું તેથી તેનું વાણિજ્ય ઘણા લાંબા સમયથી પડી ભાગ્યું છે અને નગર ગરીબ અને જર્જરિત બન્યું છે. વસંત ઋતુમાં ભરતી ૩૦ ફૂટ (૧૦ મીટર) થી ઉપર વધે છે અને આટલા છીછરા અખાતમાં વાણિજ્ય માટે તે જોખમકારક છે. ૧૯૦૦ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો.
આ નગર ગોમેદ અને અકીક ઘરેણાંનાં ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ઘણા કિસ્સાઓમાં ઘરો પથ્થરથી (તે શહેરની સદ્ધરતા સૂચવે છે કારણ કે આ પથ્થરો ખૂબ જ દૂરથી લવવામાં આવ્યા હતા) બાંધવામાં આવતા હતા અને ૩ માઈલ (૫ કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઈંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. દક્ષિણપૂર્વ દિશામાં ભૂમિગત મંદિરો અને અન્ય ઇમારતોના અડધા દટાયેલ અવશેષો છે, જે ભૂતકાળમાં તેમની મોટા પ્રમાણમાં સંખ્યા સૂચવે છે. આ જૈન મંદિરો છે, અને તેમના દેવતાઓની બે મોટી પ્રતિમાઓ ધરાવે છે, એક કાળી, અન્ય સફેદ છે. મુખ્ય મૂર્તિ, શિલાલેખ અનુસાર, પારિશ્વનાથ અથવા પારશ્વનાથ છે. અકબરના સમયમાં તેમની કોતરણી કરવામાં આવી છે. કાળી મૂર્તિ પર ૧૬૫૧ની તારીખ કંડારેલી છે.
૧૭૮૦માં ખંભાત જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબ્જે કરાયું. ૧૭૮૩માં પાછું મરાઠા તાબા હેઠળ ગયું અને ત્યારબાદ ૧૮૦૩ ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશરોને સોંપી દેવામાં આવ્યું. તે ૧૯૦૧ માં રેલવે સાથે દ્વારા જોડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ખંભાત શહેર અકીકના વેપાર માટે જાણીતું હતું.
ખંભાત નગરપાલિકાનો ઇતિહાસ
જ્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં લોર્ડ સ્પિન વાઇસરોય હતાં ત્યારે ખંભાતમાં મહુંમ નવાબસાહેબ જાફરઅલીખાન સાહેબ તખતનશીન હતાં. તેમનો શાસનકાળ(ઇ.સ. ૧૮૮૦ થી ૧૯૧૫ સુધી) માં પ્રજાને અનેક પ્રકારની સુખસગવડો પ્રાપ્ત થાઈ છે.
પિતાના સમયમાં (મહુંમ નવાબ હુસેનયાવરખાનના ૧૮૪૧-૧૮૮૦) શહેરને અંગે એટલું જ કામ થતું કે ચોમાસું ગયા પછી પાણીથી પડેલા મોટા મોટા વહેળા ‘ચબુતરા’ ના માણસો મોકલી દુરસ્ત કરાવતા, આ સિવાય પ્રજાના સુખ માટેનું કોઈ કાર્ય ન થતુ.
શ્રી મહુંમ નવાબ જાફરઅલીખાન ગાદી પર આવ્યા તે વખતે તેમના દિવાન શામરાવ નારાયણ લાડે(ઇ.સ. ૧૮૮૦-૧૮૮૩ અને બીજી વખત ૧૮૮૫-૧૮૯૦) ખંભાતમાં પાણી છંટાવવાનું તથા રસ્તા ઉપર ફાનસો મૂકવવાનું કામ શરૂ કરુ.ગુજરાતી નિશાળો પણ શરૂ કરી.અહી સુધારાના બીજ રોપાયાં હતા.તેમણે બીજા ખાતાની પેઠે એક ખાતું કાઢુયું તેને ‘સુધરાઇ ખાતું’ કહેતા. તેનો સધળો વહીવટ સરકાર જ કરતી.તેના ઉપરીને ‘દરોગા’ કહેતા.
પછી દિવાન તરીકે શ્રી માધવરાવ હરીનારાયણ વ્યાસ આવ્યા.(તા.૧૭-૭-૧૮૯૪ થી તા.૨-૭-૧૯૧૩) તેઓ ખંભાત રાજ્યમાં પ્રથમ રેવન્યુ અધિકારી હતાં તે દરમિયાન એમની મહેનત,હોશિયારી,દાનાઈ અને ઈમાનદારીથી રેવન્યુ ખાતામાં ઘણાં જ સુધારા કર્યા, એમની સારી નોકરીથી ખુશ થઈ ના.મ નવાબસાહેબ જાફરઅલીખાનને તેમને દિવાનગીરી આપી હતી. આ દિવાન સાહેબ ખંભાત શહેરને આપેલી ભેટમાંની આ અમૂલ્ય ભેટ તે આજની નગરપાલિકા પ્રથમ નિમાયેલા મેમ્બર : ઇ.સ ૧૯૦૯ દીવાન શ્રી માધવરામે તા.૧૩-૧૧-૧૯૦૯ થી નીચેના મેમ્બરોની નિમણુક કરી અને તા.૧-૧૨-૧૯૦૯(વિ.સ. ૧૯૬૬ના કારતક વદ ૪ બુધવાર) થી કાર્યનો પ્રારંભ થયો.
ખંભાત નગરપાલિકાના પ્રમુખો સને.૧૯૦૯ થી પ્રમુખો. | ||
---|---|---|
સરકાર તરફથી પ્રમુખ નિમાતા હતાં.સને.૧૯૦૯-૧૯૪૩ | ||
૧ | શ્રી મણિભાઈ ગુલાબભાઈ દેસાઇ | ૧૯૦૯ |
૨ | શ્રી ઝીયાઉદીન | ૧૯૧૩ |
૩ | શ્રી મોતીભાઈ ઓતાભાઈ પટેલ | ૧૯૧૪-૨૧ |
૪ | શ્રી ધીરજલાલ એચ. દેસાઇ | ૧૯૨૧-૨૬ |
૫ | શ્રી નંદલાલ નાથાલાલ રાવલ | ૧૯૨૬-૩૦ |
૬ | શ્રી વાસુદેવ ભાઉજીભાઈ મહેતા | ૧૯૩૦-૩૧ |
૭ | શ્રી ફેઝ મોહંમદ ખાન | ૧૯૩૧-૩૨ |
૮ | શ્રી જહાંગી રૂસ્તમજી જસાવાળા | ૧૯૩૩-૩૪ |
૯ | શ્રી અકબરઅલી એ નાગોરી | ૧૯૩૪-૪૩ |
-શૈલેષ રાઠોડ