દોઢ સદીથી ઓળખ જાળવી રાખતું ખ્રિસ્તી સમુદાયનું ગામ વાલેસપુર
વાલેસપુર આખુ ગામ ખ્રિસ્તીઓનું !!
ભાવનગર નજીક આવેલા વાલેસપુરમાં 600 જેટલા લોકો વસવાટ કરે છે. ભાવનગરથી 35 કી.મી.ના અંતરે આવેલા વાલેસપુર ગામની વિશેષતા એ છે કે અહીં સમગ્ર ગામ ક્રિશ્ચયન ધર્મનું આચરણ કરાય છે. અહીં ત્રણ કે ચાર ચાર પેઢીની પરંપરા છે. ગામ મિશનરી ટ્રસ્ટના નેજા હેઠળ કામ કરે છે. આવા ગામ જ ભારતમાં આજે પણ કેવી અને કેટલી ધાર્મિક સહિષ્ણુતા છે તેના પ્રતિક છે.
હિન્દુ ધર્મનાં એકપણ પ્રતિક વગરનું ખ્રિસ્તી ગામ વાલેસપુર)
– કહાની ભાવનગર જિલ્લાના બે અનોખા ગામની
– અંગ્રેજોની સ્થાપના બાદ આખું ગામ ખ્રિસ્તી બની ગયું… ડુંગરામાં માટી દળતા આખું ગામ આદિવાસીનું બની ગયું…
ભાવનગર જિલ્લો તેના બે ગામ વાલેસપુર અને મેલકડીના કારણે અનોખી ઓળખ ધરાવે છે. ઘોઘા તાલુકાના વાલેસપુર ગામમાં તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે તો ભાવનગર તાલુકાના મેલકડી ગામમાં તમામ લોકો આદિવાસી જાતિના છે. વર્ષોનાં વ્હાણા વાઈ ચૂક્યા છે પરંતુ આ બંને ગામના લોકોએ પોતાની ઓળખી જાળવી રાખી છે. પરંતુ માત્ર અનોખી ઓળખથી ગામ થોડું ચાલે ? બંને ગામ વિશષ્ટિતા ધરાવતા હોવા છતાં અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. જો સરકાર દ્વારા બન્નેને કોઈ ખાસ યોજના કે સવલતો નહિ આપવામાં આવે તો ભવિષ્યમાં ભૂંસાઈ પણ શકે છે જિલ્લાની આગવી ઓળખ.
વાલેસપુર (તા. ઘોઘા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાંમહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
૧૮૭૧માં વડોદરા રાજ્ય બાજુથી કેટલાક ખ્રીસ્તી મિશનરીઓ ઘોઘા રહેવા આવ્યા અને પછી ઘોઘાથી ૧૧ માઇલ દક્ષિણ-પશ્ચિમે વસવાટ શરૂ કર્યો. આ જગ્યાએ લાંબો સમય વસવાટ કરનારા રેવ. જેમ્સ વાલેસની યાદમાં આ વસાહતને વાલેસપુર નામ આપવામાં આવ્યું[૨]. આ જગ્યાએ આઠ મકાન, એક સુંદર ઘંટવાળુ ચર્ચ, એક મીશનરી ઘર, એક આરામગૃહ, એક જનતા માટેનો કુવો અને એક હવાડો હતા
– હિન્દુ ધર્મનાં એકપણ પ્રતિક વગરનું ખ્રિસ્તી ગામ વાલેસપુર
ઈતિહાસ : આશરે ૨પ૦ વર્ષ પહેલા અંગ્રેજોએ વાલેસપુર ગામની સ્થાપના કરી હતી. એ સમયે ઘોઘાબંદર વિશ્વ પ્રસિદ્ધ હતું. ત્યાંથી ૧પ કિ.મી.નાં અંતરે અંગ્રજો વ્યાપાર-વાણિજ્યમાં ગામનો ઉપયોગ કરતા હતા. ભૌગોલિક રીતે આ ગામ સાનુકૂળ જણાયું હતું. અંગ્રેજો મૂળ ખ્રિસ્તી ધર્મના હોવાથી અહીં તેમનું વર્ચસ્વ રહ્યું છે. અંગ્રેજો જતા રહ્યા બાદ પણ હાલ પ૦૦ જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ ચૂસ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળે છે.
વહિવટ : અડધા કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ ગામનો વહિવટ જૂથ પંચાયત દ્વારા ચાલે છે. જૂથ પંચાયતમાં કરેડા ગામ સાથે છે. સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તો ગામનો વિકાસ વધુ થઈ શકે તેમ છે.
આલ્બર્ટભાઈ રાઠોડ, ઉપસરપંચ, વાલેસપુર જૂથ ગ્રામ પંચાયત)
વ્યવસાય : અહીં ગામના મોટા ભાગના લોકો ખેતી પર નર્ભિર છે. કોઈ ઉદ્યોગ નથી. પશુપાલનમાં મરઘા ઉછેર કરતાં હોય તમામ ઘરમાં મરઘા દ્રષ્યમાન થાય છે. જેના દ્વારા પણ તેઓ બે પૈસા કમાઈ લે છે.
સમસ્યા : ગામની એસ.ટી. સુવિધા ૩ વર્ષથી બંધ હાલતમાં છે. ૪ વર્ષથી પંચાયત દ્વારા પાણીનું વિતરણ પણ બંધ છે. વર્ષો પહેલા ડામર રોડનું નિર્માણ કરાયેલું
હતું તે હાલના સમયે બિસ્માર સ્થિતિમાં છે. આ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો હવાલો મળે અને સરકાર વિશેષ લક્ષ લઈને રોજગારીની તકોનું નિર્માણ કરે તેવી ગામ લોકોની અપેક્ષા છે.
નોંધનિય : હિંદુ ધર્મનું કોઈપણ પ્રતિક ગામમાં નથી. જે દરેક ગામમાં હોય છે તે હનુમાનજીની દેરી કે બજરંગદાસબાપાની મઢુલી પણ આ ગામમાં જોવા મળતી નથી.
શૈક્ષણિક રીતે પણ પછાત…
ગામમાં સારી શાળાની પણ જરૂરિયાત છે. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે છેક કોળિયાક કે ઘોઘા અપડાઉન કરીને ભણવા જવું પડે છે. શિક્ષણ એ પાયો હોય ગામના વિકાસ માટે જરૂરી છે.
આલ્બર્ટભાઈ રાઠોડ, ઉપસરપંચ, વાલેસપુર જૂથ ગ્રામ પંચાયત