શૈલેષ રાઠોડ
સખત પરિશ્રમ પછી કમિશ્નર બનેલ ધીરેન મેકવાનના પિતા જયંતીભાઈ પિતામ્બરદાસ મેકવાન જીલ્લા પંચાયત,નડિયાદ ખાતે સીનીયર ક્લાર્ક તરીકે સેવાઓ બજાવતા હતા.માતા સવિતાબેન મેકવાન ઉત્તરસંડા કન્યાશાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે સેવાઓ બજાવતા હતા.મોટાભાઈ જીગ્નેશ હાલમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે.પત્ની નેન્શીબેન ચકલાસી રામપુરા ખાતે ગણિત વિજ્ઞાનના શિક્ષિકા છે.બે દીકરીઓ હૈયાસી-૩ વર્ષ અને આધ્યા-૩ મહિનાની છે.
વૉરેન બફેટ કહેતો : ‘હું ઓછામાં ઓછાં પાંચસો જેટલાં પાન તો દરરોજ વાંચી જ લઉં છું. જ્ઞાાનની સંવૃધ્ધિ માટે મને શ્રેષ્ઠ વિકલ્પ એ જ લાગ્યો છે. કદાચ હું મારી ભાષામાં તેને વ્યાજનું વ્યાજ કહીશ’ધીરેનભાઈ પોતાની સફળતાના રહસ્ય સાથે પોતાના વાંચનને જોડે છે.વોરેન બફેટની જેમ જ કાયદાને મુખ્ય આધાર બનાવી આ જ ક્ષેત્રમાં વાંચન દ્વારા સફળતાના દ્વારા ખોલ્યા.
ધીરેન મેકવાન યુવાનો માટે પ્રેરક છે.તેઓ તેમની સફળતા અંગે જણાવે છે કે,”વર્ષ ૨૦૦૫ માં એલ.એલ.બી નો અભ્યાસ પૂર્ણ કરી વકીલાતનો વ્યવસાય શરુ કર્યો અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ પણ શરુ કરી.૨૦૦૯ માં GPSC દ્વારા લેવાયેલી આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીટ્યુટર ક્લાસ-૨ ઈન્ટરવ્યું સુધી પહોચ્યો પણ સફળતા દુર રહી.૨૦૧૪માં આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીટ્યુટપરીક્ષા પાસ કરી અને ઈન્ટરવ્યુંમાં પસંદગી પામ્યો અને જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે નોકરીમાં જોડાયો.મેં વધુ મહેનત ચાલુ રાખી અને સને ૧૮-૧૯ માં GPSCની ક્લાસ ૧ આસી.ચેરીટી કમિશ્નર ની પરીક્ષા આપી અને સફળતા મેળવી ડિસે.૨૦૧૯ માં મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આસી.ચેરીટી કમિશ્નરતરીકે જોડાયો.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે મેં ઘરમાં જ કાયદોના પુસ્તકોની લાયબ્રેરી બનાવી દીધી હતી.પરીક્ષાના ૩ મહિના પૂર્વે નિયમિત ૧૦ થી ૧૨ કલાક વાંચન કરતો હતો.ઉપરાંત વિવિધ જનરલ નોલેજ,પોલીટીક્સ સહિતના પુસ્તકો-અખબાર વાંચતો અને સફળ થયેલા યુવાનોની મુલાકાત લેતો હતો.હું હંમેશા હકારાત્મક લેખો પુસ્તકો ણૂ૮ સતત વાંચન કરતો હતો.મારો યુવાનોને સંદેશ છે કે,”સફળ થવાનો એક જ શોર્ટ કટ છે”સખત અને સઘન મહેનત”જ્યાં સુધી સફળ ન થાઓ ત્યાં સુધી હાર્યા વિના સંઘર્ષ કરતા રહો.
-શૈલેષ રાઠોડ