સામાન્ય વર્ગના બાળકોને ભણાવવામાં માતા પિતાને પડતી મુશ્કેલીઓનું આંકલન કરી, આવા પરિવારો માટે શું કરી શકાય અને સરકારી શાળાઓનું સ્તર કઈ રીતે સુધારી શકાય તેવા હેતુથી અનોખી યાત્રા યોજવાનો લ્હાવો મળ્યો.
રાઈટ ટુ એજ્યુકેશન રિસોર્સ સેન્ટર (આઈ.આઈ.એમ) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ,પ્રોફેસર અને સ્થાનિક જાગૃત નાગરિકોની શિક્ષણ જાગૃતિ અંગે પદયાત્રા યોજાઈ.
રાઈટ ટુ એજ્યુકેશન રિસોર્સ સેન્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ (IIM) અમદાવાદની એક પહલ છે.આ રિસોર્સ સેન્ટર પ્રાથમિક શાળાઓને સંબંધિત અનુભવો સમજવા માટે એક સંશોધન પદયાત્રાનું સંકલન કરેલ હતું.આ સંશોધનનો હેતુ શિક્ષણ પર થતાં ખર્ચનો અંદાજ લગાવવાનો તેમજ પરિવાર પર પડતા વધારાનો બોજો અને ઉદ્દભવતી મુશ્કેલીઓના વર્ણનની નોંધ લેવાનો હતો તેમજ તેને લોકો વચ્ચે રજૂ કરવાનો હતો.
યાત્રાની શરૂઆત ખંભાતથી તા-૨૫/૦૧/૨૦૧૯ના રોજ સવારે ૧૦.૩૦
કલાકે થઈ જેમાં સૌ પ્રથમ સરકારી-ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ,જાગૃત નાગરિકો,પત્રકારો,સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહભાગીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતા અનુભવોની ચર્ચા કરવામાં આવી.
ત્યાર બાદ ખંભાતના વિવિધ વિસ્તારો જેમાં નયન,ગુરુકૃપા સોસાયટી,મોહમદી સોસાયટી,અકબરપુર, નાના ક્લોદરામાં પદયાત્રા ફરી અને વિસ્તારોમાં વાલીઓ,વિદ્યાર્થીઓ,આગેવાનો,સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો સાથે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર સેમ્પલ સર્વે કરવામાં આવ્યો.
સમગ્ર પદયાત્રાનું ખંભાત ખાતેનું આયોજન
શૈલેશભાઈ રાઠોડ,જસી પરમાર,
મંજુલા પરમાર,હેમલભાઈ શાહ,સલમાન પઠાણ,શિવાંગ ગુપ્તા, શેહજાદ મલેક અને જાનીસાર શેખ દ્વારા કરવામાં આવ્યું.સમગ્ર પદયાત્રામાં સ્વૈચ્છિક રીતે જોડાયેલા મિત્રો જેમણે યાત્રાને ટેકો પૂરો પાડેલ છે તેમનો આભાર વ્યક્ત કરીએ છે .