જીવનની સાચી વાસ્તવિકતા સૂર્યોદય અને સૂર્યાસ્ત શીખવાડે છે.જીવનમાં કશું કાયમી હોતું નથી, તેથી હંમેશા ખુશ રહો અને જીવનની સફરનો સાચા કર્મ થકી સંંપૂર્ણ આનંદ માણો ..!!શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારૂં હોય, શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય સર્વશ્રેષ્ઠ હોય !!
માતા-પિતા બાળકોના સૌથી પહેલા ગુરુ હોય છે. તેથી બાળકોના જીવન ઘડતરની જવાબદારી માતા-પિતા પર હોય છે. બાળકનું મન એ ભીની માટીના પીંડા જેવું હોય છે. એને તમારે જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકો છો. એટલે માતા પિતાની ફરજ છે કે એ લોકોએ બાળકોનું સાચું જીવન ઘડતર કરવું જોઈએ.
કબીર કહે છે, શરીર ખેતર છે, મન ખેડૂત છે અને પાપ પુણ્ય બીજ છે. એમાથી જે વાવીશું એ જ પાકશે. પાપરૂપી બીજ એટલે કે ખરાબ કર્મો જીવને પીડા પહોંચાડે છે. જો કોઈ ખરાબ કર્મ કરીને સુખ મેળવવા ઇચ્છે તો તે કઈ રીતે મળે ? બાવળ વાવ્યો હોઈ તો કેરી ક્યાંથી મળે ? માણસે કરેલા કર્મો તેની સાથે જાય છે. જે કર્મો પ્રારબ્ધ બની ગયા છે, તેને ભોગવવા જ પડશે.
સંત તુલશીદાસ કહે છે , ‘કર્મ પ્રધાન વિશ્વકરી રખા, જો જસ કરઈ. સો તસ ફૂલ ચખા. આમ દરેક માણસને તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે.
એક પિતાના બે પુત્ર હતા. એકે વેપારને વધારી વધારીને ખૂબ ઉન્નતિ કરી
તથા આ આર્થિક દૃષ્ટિએ સંપન્ન થઈને આનંદનું જીવન વિતાવવા લાગ્યો.
બીજાને વેપા૨માં નુક્સાન થઈ ગયું અને તેના પરિવારને બે ટંકના રોટલાનાં
પણ ફાંફાં પડવા લાગ્યાં. આ કારણે તેનો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ ડગમગવા
લાગ્યો.
એક દિવસે તે નદી કિનારે આવેલ એક
સત્યના આશ્રમમાં પહોંચ્યો. સંતને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહારાજ, હું તો એ પરિણામ પર પહોંચ્યો છું કે ઈશ્વર માત્ર કલ્પના છે. જો ઈશ્વર છે તો તે પક્ષપાતી છે, કોઈને સુખ આપે છે તો કોઈને અપાર દુઃખ.’
સંત તેને પોતાના બગીચામાં લઈ ગયા, જ્યાં એક જ ખેતરમાં શેરડી,કરિયાતું, ચમેલીનાં ફૂલ અને ગુલાબના છોડ લગાવેલા હતા. સંતે તેને સમજાવ્યું,
‘ભાઈ, એક જ જમીન પર એક તરફ મીઠી શેરડી છે, બીજી તરફ કડવા કરિયાતાનાં પાન લાગેલાં છે. ચમેલીનો છોડ સુગંધ વિખેરી રહ્યો છે, તો ગુલાબના કાંટા આપણને ડરાવે છે. આ ભિન્નતા માટે તેને પેદા કરનારી જમીન દોષીત નથી. જેવું બીજ વાવ્યું છે, તેવું જ તેનું ફળ મળ્યું છે. સુખ-દુઃખ માટે પરમાત્મા નહીં, પરંતુ આપણાં કર્મ અને સંસ્કાર જ જવાબદાર છે.’ સંતનાં વચન સાંભળીને તેનું હૃદય ઈશ્વર માટે ફરીથી શ્રદ્ધાવાન થઈ ગયો.
-શૈલેષ રાઠોડ
-શૈલેષ રાઠોડ