-Shailesh Rathod
જીવનમાં અમુક વાતો વગર અનુભવથી પણ સ્વીકારવી એ સમજદારીવાળુ કામ છે.આપણે આ વાત કેટલી વાર સાંભળી હશે કે “આપણી સાથે જે પણ કઈ થાય છે એ સારા માટે જ થાય છે. પણ આપણાં માંથી ઘણા લોકો આ વાત ને સાંભળી તો લે છે પણ તેની પર વિશ્વાસ નથી કરતાં.
વહેલી તકે માની લેવું કે ‘જે થાય એ સારા માટે જ થાય છે,’ અને જે થયું એમાં મહેનત કરી વિશ્વાસ રાખી ને આગળ વધતા રેહવાથી જીવન સફળ અને સાર્થક, કઈ પણ ચિંતા કે ડર વગરનું બને છે.
એક વખત અકબર અને બિરબલ શિકાર માટે જાય છે. તે સમયે શિકાર કરતાં અકબર ની આંગળી કપાઈ જાય છે. અકબર ને ખૂબ જ દુખતું હોય છે. નજીક ઉભેલા બિરબલે કહ્યું કે કઈ વાત નહીં શહેનશા,જે થાય છે સારા માટે થાય છે. અકબર ને બિરબલ ની આ વાત પર ગુસ્સો આવી ગયો. અને તેમણે પોતાના સૈનિકો ને આદેશ આપ્યો કે બિરબલ ને મહેલ લઈ જવામાં આવે અને ત્યાં તેને કારાવાસ માં મુકવાં માં આવે. અને ત્યાં થી અકબર એકલા જ શિકાર પર નીકળી ગયા.
રસ્તા માં આદિવાસિયો એ જાળું નાખી ને અકબર ને બંધી બનાવી દીધા. અકબર ની બલિ આપવા માટે તેને તેમના મુખ્યા પાસે લઈ ગયા.
જેમ મુખ્યા અકબર ની બલિ ચઢવા ગયા તો જોયું કે અકબર ની એક આંગળી કપાયેલી છે. અર્થાત તે ખંડિત છે. એટલે જ તેમની બલિ ન ચઢવા માં આવે. તેમણે અકબર ને મુક્ત કર્યા. અકબર ને તેમની ભૂલ સમજાઈ ગઈ. અને તેઓ તરત બિરબલ પાસે પહોંચ્યા. અકબરે બિરબલ ને કારાવાસ માંથી મુક્ત કર્યા. અને તેમણે માફી માંગી. તેમના થી મોટી ભૂલ થઈ ગઈ કે તેમણે બિરબલ જેવા જ્ઞાનિ અને દૂરદ્રષ્ટિ મિત્ર ને બંધી બનાવ્યા. બિરબલે ફરી થી કીધું કે જે પણ થાય છે સારા માટે થાય છે. ત્યારે અકબરે પૂછ્યું કે મારા દ્વારા તમને બંધી બનાવામાં માં શું સારું થયું?
બિરબલે કહ્યું કે તમે મને બંધી ના બનાવત તો હું તમારી સાથે શિકાર પણ આવત. અને આદિવાસી મારી બલિ આપી દેતા. આ રીતે બિરબલ ની વાત સાંભળી ને અકબર ખુશ થયા.
મિત્રો આ વાર્તા પરથી એ સાબિત થાય છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે. સારા નો અર્થ ઉચિત અને ન્યાયપૂર્ણ હોય છે. મિત્રો તમને આવા વ્યક્તિ ની સાથે ન્યાય કરવાનો કહે તો તમે શું કરશો??તમે જરૂર થી એવા વ્યક્તિ ને સજા આપશો. અને એવું કાર્ય કરવા કહેશો કે જેનાથી એને પોતાની ભૂલ ની ખબર પડે.
યાદ રાખીએ,”જીન્દગી નાની છે દરેક પળ માં ખુશ રહીયે.”આપણી સાથે જે પણ થાય છે તે હમેશા સારું થાય છે. કેટલાક લોકો આજ વાત પર વિશ્વાસ કરે છે અને હિંમત થી આગળ વધે છે.તેમને સફળતા અવશ્ય મળે છે. તેઓ જલ્દીથી નિરાશ નથી થતાં.
બનવારી દાસના મનમાં ભારે દુ:ખ પહોંચ્યું. તેઓ દરબારમાંથી તરત પાછા ઘરે આવ્યા. ઘરે જેટલો પણ સામાન હતો, એ બધો ગરીબોમાં વહેંચી દીધો અને વિરક્ત થઈને જંગલ તરફ નીકળી પડ્યા. બાદશાહને જ્યારે આની ખબર પડી તો તેઓ તરત તેમની પાસે આવ્યા અને કહ્યું, ‘જેટલો તમારો સામાન હતો, તેનાથી બેગણો સામાન તમને આપીશ. તમે ક્યાંય ના જશો.’ પરંતુ બનવારી દાસે તેમની વાત ન માની. દિલ્હીથી નીકળીને આ મેવાડ તરફ ચાલ્યા ગયા અને ત્યાં પહાડ પર રહીને ઈશ્વર ભક્તિમાં લીન થઈ ગયા.
એક વર્ષ બાદ બાદશાહ લાવ-લશ્કર સાથે એ તરફથી નીકળ્યા તો કોઈએ તેમને કહ્યું કે આ પહાડ પર એક મહાન ત્યાગી સંત બનવારી દાસ રહે છે. બાદશાહ તેમના દર્શન કરવા પહોંચ્યા. બાદશાહે તેમને ઓળખી લીધા અને તેમને પ્રણામ કરતાં કહ્યું, ‘તમે શાહી સુવિધાઓ છોડીને અહીં જંગલમાં એકલા રહો છો, તેમાં તમને શો લાભ થાય છે?’
બનવારી દાસે કહ્યું, ‘એક વખત આપણે પ્રાર્થના પત્ર લઈને બે કલાક સુધી તમારી સામે ઊભા રહ્યા, પરંતુ તમે મારી તરફ જોયું પણ નહીં, જ્યારે આજે તમે મારી સામે ઊભા છો અને મને તમારી કોઈ પરવા નથી. આગળ જે પણ થશે તે તો ઈશ્વરને આધીન છે.’ આ સાંભળી બાદશાહ તેમની સામે નતમસ્તક થઈ ગયા અને બોલ્યા, ‘મહારાજ, તમે સાચા સંત છો.’