શરીરમાં 60% પાણી હોય છે. તેને હાઈડ્રેટ રાખવા માટે ડૉક્ટર દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. ઘણા રિસર્ચમાં પુરવાર થયું છે કે પાણી અનેક રીતે શરીર સાફ કરે છે અને તેને સ્વચ્છ રાખવાનું કામ કરે છે.
પાણી પીવાના ફાયદાઓ
1. થાક ઓછો લાગે છે
જનરલ ઓફ ધ ઈન્ટરનેશલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર, જો શરીરમાં પાણીની કુલ માત્રા 2% ઓછી થાય છે તો શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ શકે છે. તેનાથી થાક વધે છે. તેથી પાણી પીવાથી થાક ઘટે છે.
2. મગજને ફિટ રાખે છે
કેમ્બ્રિજ કોર જર્નલના રિસર્ચ પ્રમાણે,, જો શરીરમાં 1થી 3% પાણીની માત્રા ઓછી થાય છે તો તેની અસર મગજ પર થાય છે. મૂડ અને એકાગ્રતા ખરાબ થાય છે. વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહે છે. પાણી મગજની કાર્યપ્રણાલી સ્વસ્થ રાખે છે.
3. માઈગ્રેનનો દુખાવો દૂર થાય છે
ઓક્સફર્ડ એકેડેમિક જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, 102 લોકોને દરરોજ આશરે વધારે 1.5 લિટર પાણી પીવા માટે કહેવાયું હતું. આ લોકોમાં માઈગ્રેનનો દુખાવો ઓછો થતો જોવા મળ્યો હતો. આશરે 47% લોકોને માથાના દુખાવામાં રાહત મળી હતી.
4. મિનરલ યુક્ત પાણી ફાયદાકારક
યુરોપિયન જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, મિનરલ વોટરમાં મેગ્નેશિયમ અને સોડિયમની માત્રા વધારે હોય છે, તેથી કબજિયાતમાં રાહત મળે છે.
5. કિડની સ્ટોનનું જોખમ ઘટે છે
ઈન્ડોનેશિયા યુનિવર્સિટીના યુરોલોજી ડિપાર્ટમેન્ટનું રિસર્ચ કહે છે કે, વધારે પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન કરવાથી કિડનીમાંથી યુરિન વધારે પ્રમાણમાં પસાર થાય છે જે મિનરલ્સના કોન્સન્ટ્રેશનને ડાયલ્યૂટ કરે છે.
6. વજન ઘટાડવામાં મદદગાર
જનરલ ઓફ ક્લિનિકલ ડાયગ્નોસ્ટિકના રિસર્ચ અનુસાર, વધારે વજન ધરાવતી 50 મહિલાઓએ 8 અઠવાડિયાં સુધી ભોજન પહેલાં દિવસમાં 3 વાર આશરે 500 મિલીલિટર વધારે પાણી પીધું, તેમના વજનમાં ઘટાડો આવ્યો.