રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 2020ના બે એવોર્ડ એનાયત
રાજ્યપાલ પારિતોષિક વિજેતા અને શિક્ષણમાં ઇનોવેશન થકી ઉત્તમતાને-નવીનતાને સમાજ સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેશ રાઠોડના પ્રયોગો અને પ્રયાસોને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ આવકારી રહી છે.શિક્ષણ ચાર દીવાલોમાં બંધ ન રહેતા સમાજના છેવાડાના માનવી સુધી પહોચે અને તેમાં પણ સેવાનો આદર્શ જળવાઈ તેવા કાર્યોની નોધ લઇ ભારતનો પ્રતિષ્ઠત રાષ્ટ્રીય કક્ષાનો “ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૨૦” ૨૬ મી ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર સ્થિત હોટેલ તાજ ખાતે કર્ણાટક રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામક એસ. એ. કોરીના વરદ હસ્તે એનાયત કરાયો છે.
શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ દર વર્ષે એન્ટરપ્રિન્યોર ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં કિન્ડર એજ્યુકેશનથી લઈ હાયર એજ્યુકેશનમાં સિધ્ધિવંત અધ્યાપકો, સંસ્થાઓ,શિક્ષણ સંશોધકો,ઓનલાઈન એજ્યુકેશન આપતી સંસ્થાઓ,એજ્યુકેશનલ પબ્લિકેશન સંસ્થાઓ,અધ્યાપકોનું સામાજિક પ્રદાન જેવા વિભાગો આધારિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
સમગ્ર ભારતમાંથીમાંથી એકમાત્ર શૈલેષ રાઠોડની ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડમાં “કન્ટ્રીબ્યુશન ટુ કોમ્યુનિટી”કેટેગરીમાં પસંદગી થઈ હોય રાજ્યના શિક્ષણવિદો, શિક્ષણ સંસ્થાઓ, શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.એક શિક્ષક જયારે તેના શિક્ષણના વ્યાપને ચાર દીવાલોમાંથી બહાર લઇ જઈ રાજ્ય,રાષ્ટ્ર કે વિશ્વ વ્યાપી બનાવે છે ત્યારે તે શિક્ષક સાચો શિક્ષક અથવા સાચો સમાજસુધારક ગણાય છે.શૈલેષ રાઠોડે “પસ્તીમાંથી વસ્તીમાં”,”એડોલેશન-આર્શ”,”ગાંધી મારા આંગણે”,”સીલીકોસીસમાં આશિષ”,દીકરી ચાલી….શાળાએ..”,“સૌહાર્દ શિક્ષા”જેવાઇનોવેટીવ પ્રોજેક્ટ દ્વારા શાળા અને સમાજમાં ક્રાંતિ સર્જી છે.આ પ્રોજેક્ટની ભારતના શિક્ષણવિદોએ નોધ લઇ ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડથી શૈલેષ રાઠોડનું સન્માન કર્યું છે.
એવોર્ડ અર્પતા ઉચ્ચ શિક્ષણ નિયામક એસ. એ કોરીએ(કર્નાટક) જણાવ્યું હતું કે,ભારતભરમાંથી 15 હજારથી વધુ એન્ટ્રીમાંથી ટોપ 200માં પસંદગી પામેલ સહુ નોમીનીને અભિનંદન પાઠવું છું. આ નોમીનીમાંથી ઇન્ડિયન નેશનલ એવોર્ડ ૨૨ જેટલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોમાં વિનર શૈલેષ રાઠોડ સાચા અર્થમાં ઉત્તમ શિક્ષક અને સમાજના ઘડવૈયા, લેખક છે.તેમણે સમાજના છેવાડાના લોકો અને વિશેષ વિધાર્થીઓમાં પાયાનું ઇનોવેટિવ શિક્ષણ તો આપ્યું છે સાથે ઉત્તમ લેખન દ્વારા પોતાની ફરજ બજાવી છે. તે બદલ એક શિક્ષકને “કન્ટ્રીબ્યુશન ટુ કોમ્યુનિટી”નો વિશેષ પુરસ્કાર એનાયત કરતાં ગૌરવ અનુભવું છું.
આ એવોર્ડ બાદ શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે,“આપણે વર્ષોથી એક જ ફરિયાદ કરીએ છીએ કે બીબાઢાળ શિક્ષણ પદ્ધતિ બદલવી જોઈએ.હું પણ તેમાં સહમત હતો પરંતુ શિક્ષણમાં અંદર ખુંપતા સમજાયું તેનો ઉપાય આપણા હાથમાં જ છે.મેં અભ્યાસક્રમને જ નવીન રાહે ચલાવવા પ્રયાસો આરંભ્યા.શિક્ષણ સાથે સમાજને જોડવા નવા પ્રયોગો હાથ ધર્યા.જેના ફળસ્વરૂપે મારી શાળા સમાજનું અભિન્ન અંગ બની ગઈ.સરકારની ગ્રાન્ટ લેતી અમારી શાળા રાજ્યની ઉત્તમ શાળા તો બની પણ શાળાનું પરિણામ પણ રાજ્યની અન્ય શાળાઓની હરોળમાં ઉત્તમ આવવા લાગ્યું.આજે શાળામાં ગરીબ,જરૂરિયાતમંદ,છેવાડાના ગામના બાળકો થી લઇ અધિકારીઓ,શિક્ષકોના બાળકો પણ મારી શાળામાં ભણે છે.જ્યાં એસી-સેલ્ફાઇનાન્સ શાળાઓને શરમાવે તેવું શિક્ષણ મળે છે.એવોર્ડ માટે મારા શાળા અને શાળા બહાર સમાજમાં કરેલા વિકાસ કાર્યો,પ્રોજેક્ટની નોધ લેવાઈ છે.
શિક્ષક અને બાળકોને સંદેશ:બાળક અને સમાજને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરતા રહીશું તો જરૂર સંઘર્ષ આવશે પણ સફળતાઓ આપોઆપ શોધતી આવશે.ઉત્તમ સમાજ રચનાનો પાયો જ શિક્ષણ સુધારણા છે.ઈશ્વરે આપણને શિક્ષક બનાવી ઈશ્વરના વાહક બનવાની તક આપી છે.શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનિષ્ઠા.બાળક અને સમાજને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઇ જઈએ.
તેઓ ફ્રીલાંસ જર્નાલિસ્ટ તરીકે દિવ્યભાસ્કર અખબારમાં કાર્યરત છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર ‘માં સંપાદક છે.છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું-તે તેમનો મુખ્ય ધ્યેય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલેશન કાર્યક્રમ અંતર્ગત “આર્શ પાયલોટ પ્રોજેકટ”ની જવાબદારી સંભાળી પાઠ્યપુસ્તક રચનામાં મહત્વનુ પ્રદાન અર્પણ કરેલ છે.
શિક્ષણ,જીવન પ્રેરણા,સફળ ઘડતર,આદર્શ વ્યક્તિ વિશેષ અને ખૂણામાં જીવતા મનુષ્યો -તેમનો મહત્વનો વિષય છે.હાલમાં તેઓ ખંભાત ખાતે અધ્યાપન કાર્ય તેમજ લેખન કાર્ય સંભાળે છે.તેમનાં પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયાં છે જેમાં ગુજરાતીમાં આત્માનું સૌંદર્ય,પ્રેશિક્ષક-શિક્ષણ અને શ્રેષ્ઠતા,રક ક્ષણ,યસ!આઈ.એમ.ડિફરંટ,શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ,રાતરાણીનું ધાર્યું થાય,કોમ્પ્યુટરના સાનિધ્યમાં,આર્યુવેદ-ઉત્તમ ઉપચાર,ક્ષણનું સરનામું,પ્રેરક કથાઓ વગેરે પ્રચલિત છે તો અંગ્રેજીમાં ધ સકસેસ ઓફ વર્લ્ડ ફેમસ સાયન્ટીસ્ટ,મોરલ સ્ટોરીઝ,નોબેલ વિનર અભિજિત બેનરજી,સકસેસ ફોર્મ્યુલા,વન લાઈફ વન ચાન્સ,વિટનેસ ઓફ સકસેસ,જનરલ નોલેજ,ફેન્ટાસ્ટિક ફેક્ટસ ઓફ સાયન્સ વિશ્વભરમાં વેચાઈ રહ્યા છે,આજે પણ વાચકોના હૈયે છે.
ઉત્તમ વક્તા,વિચારક,કર્મશીલ,લેખક,શિક્ષક શૈલેષ રાઠોડ “અભિધેય”પોતાના વિચારોમાં પાકટ છે અને પોતે “વિદેશ પ્રવાસ અને વિદેશી લેખકો-કર્મશીલોથી પ્રભાવિત બની સફળ થયા છે.” તેમ માને છે.શૈલેશ રાઠોડ દ્વારા નિર્માણ પામેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ”ધ હાર્ટ ઓફ ડાર્કનેસ “રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ જયારે”વિકટમ્સ બીકમ વિક્ટોરિયસ”આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત બની છે.આ ફિલ્મમાં તેમણે અકીક કારીગરોના જીવનની વ્યથાને આલેખી છે.ગાંધી વિદ્યાપીઠ,આઈ.આઈ.એમ જેવી પ્રતિસ્ઠિત સંસ્થાના યુવાનો તેમનાથી પ્રભાવિત છે.
જ્યારે વર્ષ ૨૦૨૦ણી અન્ય એક સિદ્ધિ સ્વરૂપે ગુજરાત રાજ્યનો 10 મો “એજ્યુકેટર એજ્યુકેટર 2020” શૈલેષ રાઠોડને ગાંધીનગર મુકામે પદ્મશ્રી અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે ગાંધીનગર મુકામે ૭ જાન્યુઆરીના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. આ બેવડી સિદ્ધિ બદલ ગુજરાત શિક્ષણ જગત દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
જ્યારે રાજ્યક્ષાના એજ્યુકેટર એવોર્ડ સમારંભમાં શૈલેષ રાઠોડની લેખન, શિક્ષણ અને સેવા પ્રવૃત્તિઓને બિરદાવી ડૉ. વિષ્ણુ પંડ્યા, પદ્મશ્રી અને અધ્યક્ષ, સાહિત્ય અકાદમી તેમજ જાગૃતિ પંડ્યા ચેરમેન,ગુજરાત રાજ્ય કમિશન ફોર ચિલ્ડ્ન પ્રોટેક્શન રાઈટ દ્વારા શાલ, મોમેન્ટો, પ્રમાણપત્ર તેમજ રોકડ પારિતોષિક એનાયત કરાયું છે.આ બેવડી સિદ્ધિ બદલ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્ત ઝવેરી, ઉપપ્રમુખ વિનયભાઈ પટેલ, મંત્રી હેમેન્દ્રભાઈ શાહ, આચાર્યરોહિતભાઈ સુથાર સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વિશિષ્ટ સન્માન અને સિધ્ધિઓ
-રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ
-શ્રેષ્ઠ શિક્ષક રાજ્યપાલ પારિતોષિક
-રાજ્યનો ઓપન પેજ એજ્યુકેટર એવોર્ડ
-રાષ્ટ્રીય કક્ષાનો નહેરુ યુવા પારિતોષિક
-રાષ્ટ્રીય ઇનોવેટિવ શિક્ષક એવોર્ડ
-રાષ્ટ્રીય સાયન્સ એન્ડ ટેકનો પ્રોજેકટ એવોર્ડ
-સ્વ.ઉરૈયા પત્રકારત્વ પારિતોષિક
-યુવા સાંસ્કૃતિક વિભાગનો રાજ્ય પારિતોષિક
-નાટય લેખન તેમજ નાટીકા લેખનના અનેક પારિતોષિક
-સાયન્સ પ્રોજેકટ માટે 18 થી વધુ સન્માન
-સામાજિક પ્રદાન બદલ 32 થી વધુ સંસ્થાઓ દ્વારા સ્મૃતિભેટ સન્માન
-45 થી વધુ પુસ્તકોનું સર્જન
-3 ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ