-શૈલેષ રાઠોડ
સમાવેશી શિક્ષણ
શારીરિક,અમાન્સિક,વર્તાનીક કે અન્ય કોઈ સમસ્યાને ધ્યાને લીધા વિના બાળકને તેની ઉમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ આપ્તવું એટલે સમાવેશી શિક્ષણ.આવા બાળકો સાથે લિંગ,ક્ષમતા,અક્ષમતા,ધર્મ,જાતિ આધારિત કોઈ જ ભેદભાવ રાખવમાં આવતો નથી.આવા બાળકોને તમામ પ્રકરાનું શિક્ષણ સમાનભાવે આપવામાં આવે છે.સમાન ઘડતર અને ઉછેર થાય છે.આવા બાળકો વચ્ચે સમાનતા અને એકતાની ભાવના મજબુત બને છે,આત્મીયતા કેળવાઈ છે.
આ માટે આ બતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
-બાળકોને શિક્ષણની સમાન તકો મળવી જોઈએ.
-સમાજિક સમાનતા દ્રઢ કરવી જોઈએ.
-બંધારણીય જવાબદારી પૂર્ણ કરવી જોઈએ.
-બાળકોમાં આત્મ વિશ્વાસ દ્રઢ થવો જોઈએ.
-બાળકોનું સ્વમાન જાળવવું જોઈએ.
-બાળકોમાં જૂથ ભાવના મજબુત થવી જોઈએ.
-હકારાત્મક વલણો વિકસવા જોઈએ.
-આધુનિક તેમ્નોલોજીનું જ્ઞાન મળવું જોઈએ.
-વિવિધતા સભર શિક્ષણ મળવું જોઈએ.
હું માનું છું કે શિક્ષણ બધા માટે સમાન હોવું જોઈએ.વિકલાંગ બાળકોને હિયરીંગ એડ્સ,બ્રેઈન લીપી સહિતની સુવિધાઓ મળવી જોઈએ.તેમના શિક્ષણ માટે આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ થવો જોઈએ.મુકબધીર બાળકો સાથે સામાન્ય બાળકોને પણ સાંકેતિક ભાષા શીખવવી જોઈએ.
આજે શાળા કોલેજોનું ખાનગીકરણ થઇ રહ્યું છે તે દુખની વાત છે.મેં મારા શિક્ષણ દરમ્યાન જોયું છે કે,માતા પિતા ધો ૧૧-૧૨ ના શિક્ષણ દરમ્યાન ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાઓની શોધ શરુ કરે છે.જ્યાં ઉંચી ફી હોય છે.એલન કે આકાશ જેવી સંસ્થાઓ કોમ્પીટીટીવ પરીક્ષાઓની તૈયારી માટે લાખો ફી વસુલે છે.કોઇપણ સમાન્ય બાળક આ શિક્ષણ મેળવી શકતો નથી.
વિકલાંગ બાળકો માટે બાળપણથી આરોગ્ય સીવોની સાથે ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા અને ઉપયોગી સંસાધનો પુરા પાડવા જોઈએ.હું માનું છું કે,વિકલાંગ બાળકો માટે રેમ્પ,શૌચાલય,ખાસ એલિવેટર,દૃષ્ટિહીન બાળકો માટે ઓળખના રંગ ચિહ્નો, આરામ ઝોન, મનોવૈજ્ઞાનિક રાહત રૂમ, સંવેદનાત્મક રૂમ, અને કસરત ઉપચાર રૂમ જે વી સુવિધાઓ વિકસાવવી જોઈએ.
મેં જોયું છે કે કેટલાક વર્ગ કે સમૂહના બાળકો વિષે ટીકા ટીપ્પણી કે કોમેન્ટ કરવામાં આવે છે.ઉપેક્ષિત બાળકોની શાળામાં ટીકાઓ થાય તે યોગ્ય નથી.લઘુમતીની વ્યક્તિઓ, દલિત,પીડિત પરિવારના બાળકો,અપંગ લોકોના બાળકો અથવા થોડા આર્થિક સંસાધનો ધરાવતા પરિવારોના સભ્યોને વિશેષ શૈક્ષણિક સુવિધા મળે તો સમાવેશી શિક્ષણ સાચું. મેં જોયું છે કે,જે બાળકો ઉપેક્ષિત સમાજમાંથી આવે છે,પીડિત અને ગરીબ છે તેમને બાળપણથી જ શિક્ષણના તમામ લાભો કે ખ્યાલો હોતા નથી કે મળતા નથી.બાળપણથી જો આવા ઉપેક્ષિત બાળકોને પાયાગત ઉત્તમ શિક્ષણ સુવિધા મળે તો જ તે ઉત્તમ કેરિયર બનાવી શકે.
ઉંચી આવક ધરાવતા બાળકો માટે શિક્ષણ વ્યવસ્થાનું માળખું બદલાઈ ગયું છે.જે દુખની વાત છે.સરકાર કે કેટલી સંસ્થાઓ સ્કોલરશીપ આપે છે પણ તે ખુબ જ ઓછા બાળકોને મળે છે.જે દેશમાં બાળપણથી જ સરકારી અને ખાનગી સંસ્થાઓ એમ બે ભાગમાં શિક્ષણ આપવામાં આવે છે ત્યાં મોટી ખીણ જોવા મળે છે.
સામજિક સમસ્યાઓ
ભારતમાં બાળકો શાળા શિક્ષણ દરમ્યાન તમાકુ,ગુટખા ખાતા હોય છે.શાળામાં બાળકો હંમેશા શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે.શાળા કોલેજમાં સૌથી મોટી સમસ્યા એ છે કે વિધાર્થીઓ અધ્યાપકોમાંથી કુટેવો શીખે છે.બાળકો માતા પિતા પાસેથી પણ કુટેવો શીખે છે જે મોટા થતા અધ્યાપકો પાસેથી શીખી વધુ મક્કમ બને છે.
વિકલાંગ બાળકો સાથે સુમેળભર્યો વ્યવહાર થાય તે જરૂરી છે.સામાજિક કાર્યોમાં બંને પ્રકારના બાળકો સહભાગી બને,ગ્રુપ બનાવી ઉજવણી કે આયોજન કરે તે જરૂરી છે.સમાજમાં દિવ્યાંગ બાળકો પરત્વે જે સુગ છે તે દુર થવી જોઈએ.શાળામાં સમાજિક સમસ્યાઓ દુર થાય તેનું જ્ઞાન આપવું જોઈએ.
વિકલાંગ માંલ્કોનું સ્વમાન જળવાય તે જરૂરી છે.તેમને માનભેર સામજિક પ્રવૃતિઓમાં જોડવા જોઈએ.રાઈટ તું એજ્યુકેશન અંતર્ગત બાળકોને નિશુલ્ક અને ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ.વિકલાંગ બાળકોને સક્ષમ બાળકો ઉપયોગી બને અને ખભે ખભા મેળવી સમાજ સાથે ભેળવે તેવા કાર્યક્રમો યોજવા જોઈએ.જેનાથી વિકલાંગ-દિવ્યાંગ બાળકોનું મનોબળ મજબુત થશે.
મારી દ્રષ્ટીએ શાળામાં વ્યાસન અને બેજવાબદાર વર્તન મોટી સમાજિક સમસ્યા છે.કેટલાક વિધાર્થીઓ ભણવાની જગ્યાએ માત્ર સ્નાઘર્ષ માટે આવતા જોવા મળ્યા.મારા શાળા શિક્ષણ દરમ્યાન જોયું કે બાળકોને સમાનતાની શિક્ષણ ન મળ્યું હોય અનેક બાળકો જુદા જુદા ધર્મ આધારિત જૂથોમાં જોવા મળ્યા.ગરીબ અને દલિત બાળકોનું જૂથ પણ અલગ જોવા મળતું.આવા જૂથોને કારણે સમાનતા જોવા ન મળતી.ગરીબ અને લઘુમતીના બાળકો સંકોચ અનુભવતા,જુથમાં રહેતા.ક્યારેક બે જૂથો વચ્ચે સંઘર્ષ થતો.
આર્થિક અસમાનતાને કારણે પણ બાળકોમાં સંકુચિતતા જોવા મળતી.દરેક બાળકોને સમાન હક્ક મળે અને વ્યસન બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે.અધ્યાપકો સામે પણ પગલા લેવા જોઈએ કે જેઓ જાહેરમાં વ્યસન કરે.
સાંસ્કૃતિક વિવિધતા
શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં સંસ્કૃતિની વિવિધતા જોવા મળે છે.સંસ્કૃતિના નામે કેટલીક સંસ્થાઓમાં ફરજીયાત કેટલાક વિષયો ભણાવવામાં આવે છે.મારું માનવું છે કે,દેશ દુનિયામાં સંસ્કૃતિક વિવિધતા જરૂર છે પરંતુ તેનો અર્થ એ નથી કે ફરજીયાત સંસ્કૃતિના નામે નિયમો કે શિક્ષણ વિષયો ભણાવવા જોઈએ.હિંદુ-મુસ્લિમ ને નામે ભારતમાં નિયમિત સંઘર્ષ થાય છે.શાળામાં બે સમુદાયના બાળકો પરત્વે પણ ભેદભાવ જોવા મળતો.
ધાર્મિક બાબતોને લઇ બાળકો સાથે કોઈ જ અન્યાય ન થવો જોઈએ.ખોરાક,પહેરવેશ,ધર્મ અને વાણીની સ્વત્રંતા સહુને હોવી જોઈએ.દરેકનો સમાન વિકાસ થવો જોઈએ.દિવ્યાંગ બાળકો પરત્વે વધુ કાળજી રાખવાની જરૂર છે.તેમને તમામ સગવડો સાથે સ્નેહ અને હુંફ મળે તે જરૂરી છે.