-શૈલેષ રાઠોડ (૯૮૨૫૪૪૨૯૯૧)
અમે બધા ગુજરાતીઓ સંપીને રહીએ છીયે.સીમા પાર ભાઈ ભાઈ બની વ્યવસાય કરવાનો આનંદ છે.શનિ-રવિ અમારે ત્યાં દાબેલી ખૂટી પડે છે.જોકે ગુજરાતની જેમ કેન્યાના નૈરોબી સ્થિત ડાયમંડ પ્લાઝમા ગુજરાતીની જ બેકરીમાથી પાઉં લાવી વ્યવસાય ચાલું રાખીએ છીયે.ગુજરાતીઓ સાંજ પડતાં જે ડાયમંડ પ્લાઝા તરફ પ્રયાણ કરે છે.અમારી દાબેલીનો સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરે છે.આ શબ્દો નરોબી,કેન્યા સ્થિત મહારાજા એન્ટરપ્રાઇઝ ના નામે દાબેલીની દુકાન ચલાવતા ભરતભાઈ ગોરે ઉચ્ચારયા હતા.
ભારતમાથી નૈરોબી પહોચેલ ગુજરાતી જો નૈરોબિન ડાયમંડ પ્લાઝા પહોચે તો ચોમેર ગુજરાતીઓ જે નજરે પડે.એક બાજુ ભાવેશભાઈ ગુજરાતીઓને પાન પીરશે તો બીજી બાજુની દુકાનમથી ભરતભાઇ નારણભાઈ દાબેલી પીરશે.ગુજરાત કે કચ્છ કે ભારતમાં દાબેલી મળે તો આશ્ચર્ય ન થાય પણ કેન્યાના નૈરોબીમાં જાણે ગુજરાતી માહોલ વચ્ચે ટેસ્ટફૂલ દાબેલી મળી જાય તો!કચ્છીઓ – ગુજરાતીઓ એનો સ્વાદ ચાખ્યા વગર ન રહી શકે.
કેન્યાની મુલાકાત દરમ્યાન અને ક ગુજરાતી વેપારીઓ મુલાકાત અને ઘરોબો થયો.સહુ પ્રેમાળ અને સંપીને જીવનાર.
કેન્યામાં રહેતા કચ્છીઓ અને ગુજરાતીઓ આસાનીથી દાબેલીની મજા લઈ શકે છે. કેન્યા (આફ્રિકા)ના નૈરોબીમાં આવેલા સ્કાય મોલની એક દુકાન પર બોર્ડ મારેલું છે મહારાજ એન્ટરપ્રાઇઝ. કચ્છ નારાણપરના ભરત ગોરે દાબેલીનો વ્યવસાય નૈરોબીમાં શરૂ કર્યો જે આજે બ્રાન્ડ બની ગયો છે. કેન્યામાં વસતા માત્ર કચ્છીઓ જ નહીં, ગુજરાતી વેપારીઓ, અન્ય ભાષીઓ અને સ્થાનિક પ્રજાને દાબેલીનો સ્વાદ પસંદ પણ પડી ગયો છે. દાબેલી સાથે કચ્છના ટેસ્ટનો રગડો, મસાલા ટોસ્ટ અને ભેળની મજા માણવા મળે છે.
ભરતભાઈ ગોર જણાવે છે કે-અમે ઉત્તમ ક્વોલિટી આપીએ છીયે.નૈરોબીમાં કચ્છના લેવા પટેલની વસ્તી વધારે છે. કચ્છના જૈનો-લોહાણા પણ અહીં વસે છે. બધા વેપારીઓ મોટેભાગે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જ છે. આ ગ્રાહકો દુકાને આવેલી દાબેલી-રગડાની મોજ માણે ઉપરાંત ઘર માટે પાર્સલ લઈ જાય. થોડા સમયમાં આ દાબેલી નૈરોબીના સ્થાનિકોમાં પણ પ્રખ્યાત થઈ ગઈ છે. જોકે ગ્રાહકોમાં પટેલો વધારે પ્રમાણમાં હોય છે.
ખરેખર તો નારણપરની દાબેલીનો સ્વાદ ચાખી ગયેલા એનઆરઆઈ પટેલોના આગ્રહથી નૈરોબીમાં દાબેલી મળવા લાગી છે. પટેલ ચોવીસીના ભાઈઓ વતન આવે ત્યારે નારાણપર (ભુજમાં) આવેલી મહારાજની દાબેલીની દુકાનની અચૂક મુલાકાત લે અને દાબેલી-રગડો મન ભરીને ખાય. નારણપરમાં હરીશભાઈ ગોર આ પરંપરાગત વાનગીનો ધંધો સંભાળે છે.
હરીશભાઈએ નૈરોબીમાં કચ્છની દાબેલી મળતી થવાનું કારણ આપતાં કહ્યું હતું કે, પટેલ ચોવીસીનાં ગામોમાં ઉત્સવ કે કોઈ શુભ અવસર હોય ત્યારે પટેલભાઈઓ અહીં આવે. નૈરોબીમાં વસતાં એનઆરઆઈ ભાઈઓ બહેનોએ આગ્રહ કર્યો કે નારાણપર આવીએ ત્યારે જ દાબેલી- રગડો ખાવા મળે છે. અમને બારેમાસ તમારી બનાવટના મસાલાની દાબેલી, રગડો ખાવા મળે એ માટે નૈરોબીમાં આવો. એનઆરઆઈ મિત્રોએ કહ્યું એટલે મારા નાના ભાઈ ભરતને નૈરોબી મોકલવાનું નક્કી કર્યું.
હરીશભાઈએ નૈરોબીમાં કચ્છની દાબેલી મળતી થવાનું કારણ આપતાં કહ્યું હતું કે, પટેલ ચોવીસીનાં ગામોમાં ઉત્સવ કે કોઈ શુભ અવસર હોય ત્યારે પટેલભાઈઓ અહીં આવે. નૈરોબીમાં વસતાં એનઆરઆઈ ભાઈઓ બહેનોએ આગ્રહ કર્યો કે નારાણપર આવીએ ત્યારે જ દાબેલી- રગડો ખાવા મળે છે. અમને બારેમાસ તમારી બનાવટના મસાલાની દાબેલી, રગડો ખાવા મળે એ માટે નૈરોબીમાં આવો. એનઆરઆઈ મિત્રોએ કહ્યું એટલે મારા નાના ભાઈ ભરતને નૈરોબી મોકલવાનું નક્કી કર્યું.
નારણભાઈ ગોરના જણાવ્યાં મુજબ-અહી શનિ રવિ ગુજરાતી માહોલ હોય છે.લોકો દાબેલીને સ્ટાર્ટર તરીકે ખાય પછી અહી આવેલી ગુજરાતી-પંજાબી થાળી એનઓ લાભ લે છે. આશરે ત્રણ વાર કોશિશ કરી હતી, પણ બિઝનેસ પરમિટ મળતી નહોતી. હાલમાં મંજૂરી મળી ગઈ એટલે સાહસ કર્યું.
નૈરોબીમાં લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે. અમારા આશ્ચર્ય વચ્ચે માત્ર કચ્છી અને ગુજરાતીઓને જ નહીં પણ પરંપરાગત કચ્છી દાબેલીનો સ્વાદ સ્થાનિક આફ્રિકનોને પણ પસંદ પડી રહ્યો છે.
-shailesh rathod