-શૈલેષ રાઠોડ
શિક્ષણ અને તત્વજ્ઞાન બંને સુગંધ અને ફૂલ જેવા એકબીજા સાથે જોડાયેલા અને પરસ્પર નિર્ભર છે,બંને એકબીજા સાથે ચાલે છે.પ્રત્યેક શિક્ષક તત્વજ્ઞાની બને તો શિક્ષણ વ્યાવસ્થા ઉત્તમ બને.શિક્ષણ એ એક પ્રયોગશાળા છે જેમાં દાર્શનિક ભેદને મજબૂત કરવામાં આવે છે,પરીક્ષણ કરવામાં આવે છે.સ્વામી વિવેકાનંદ,મહાત્મા ગાંધી,રાધાકૃષ્ણન,સોક્રેટીસ, પ્લેટો જેવા મહાન ફિલસૂફો મહાન તત્વજ્ઞાની અને વિદ્વાનો હતા અને તેઓ તેમના વિચારોને વાસ્તવિક શિક્ષણમાં કેવી રીતે લાગુ કરવા તે જાણતા હતા.આજે શિક્ષણમાં તેમને આપેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે.શિક્ષક સ્વયં સાચો તત્વજ્ઞાની બને તો શિક્ષણ વ્યવસ્થામાં ચાર ચાંદ લાગી શકે.આ માટેના સૂચિત ઉપાયો રજુ કર્યા છે.
શિક્ષકના અને વિધાર્થીના અસ્તિત્વની ઓળખ
ફિલસૂફી ગ્રીક શબ્દ ‘ફિલોસોફીયા’ પરથી લેવામાં આવ્યો છે,જેનો શાબ્દિક રીતે અર્થ ‘શાણપણનો પ્રેમ’ થાય છે.તત્વજ્ઞાન એ સામાન્ય અને મૂળભૂત સમસ્યાઓનો અભ્યાસ છે,જે મૂલ્યો, અસ્તિત્વ,જ્ઞાન,કારણ અને ભાષા જેવા નક્કર બાબતોની ચિંતા કરે છે.ફિલસૂફી વિધાર્થી જીવનના અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરે છે.શિક્ષક પોતાના શિક્ષણ કાર્ય દરમ્યાન બાળકોનું સતત મૂલ્યાંકન કરે તો બાળકના આનંદ અને દુઃખને સરળતાથી સમજી શકે.
શિક્ષકે તત્વજ્ઞાની અને માર્ગદર્શકની જેમ કાર્ય કરવું જોઈએ.શિક્ષકો તેમના વ્યવસાય માટે સમર્પિત હોવા જોઈએ.શિક્ષકોએ વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે નીચે આવવું જોઈએ.શિક્ષકને પોતાના તેમજ વિધાર્થી જીવનના અસ્તિત્વને સમજવા તત્વજ્ઞાન ઉપયોગી છે.વિશ્વના મહતમ તત્વજ્ઞાનીઓ શિક્ષકો રહ્યા છે.જો વિધાર્થીના અસ્તિત્વની સાચી ઓળખ કરી લેવામાં આવે તો શિક્ષણ કાર્ય સરળ બની જાય.
તત્વજ્ઞાન શિક્ષણનો હાર્દ
તત્વજ્ઞાન શિક્ષણના વિવિધ મુદ્દાઓ સમજવામાં અને સમસ્યા ઉકેલમાં ઉપયોગી છે.શિક્ષણમાં દરેક વસ્તુનો દાર્શનિક(તત્વજ્ઞાન આધરિત) આધાર હોય છે, ઉદાહરણ તરીકે, ઉદ્દેશ્ય, અભ્યાસક્રમ, પદ્ધતિઓ, પાઠયપુસ્તકો, શિસ્ત, શિક્ષકો વગેરે ફિલસૂફી પર આધારિત છે.આમ શિક્ષણ એ તત્વજ્ઞાનનો નો સક્રિય અને વ્યવહારિક પાસું છે. તત્વજ્ઞાન અભ્યાસક્રમ, હેતુ, શિક્ષણ પ્રથા, વિષય વસ્તુ , કુશળતા વગેરે ડિઝાઇન કરવામાં શિક્ષણ અને શિક્ષકને મદદ કરે છે.કોઇપણ વિષયને માત્ર વર્ગ ખંડ પુરતો માર્યાદિત રાખવો છે કે પછી તેને ચાર દીવાલોથી દુર લઇ જવો છે તે શિક્ષકના હાથમાં છે.
તત્વજ્ઞાન શિક્ષણના તમામ પાસાઓને અસર કરે છે.તત્વજ્ઞાન એ નિર્ધારિત કરે છે કે જીવન જીવવાનું શું છે અને શિક્ષણ તે પ્રકારનું જીવન પ્રાપ્ત કરવામાં અને તૈયાર કરવામાં મદદ કરે છે.તત્વજ્ઞાન શિક્ષણના વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે.એક રીતે જોઈએ તો તત્વજ્ઞાન શિક્ષણનો હાર્દ છે.
પ્રખર ચિંતક ક્રેન વિલ્બરે કહ્યું છે કે માનવી એ ઈશ્વરનું એવું સર્જન છે કે જે માંસપેશીની આંખ વડે, મનશ્ર્ચક્ષુ વડે અને આત્મા (soul) દ્વારા પણ જોઈ શકે છે. વિજ્ઞાન પ્રથમ બે નો સ્વીકાર કરે છે, પરંતુ ત્રીજામાં માનતું નથી; પરંતુ હવે વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે કે જીવનનાં ગૂઢ રહસ્યો આત્માની આંખના ગૂઢ જ્ઞાન વિના શક્ય બને તેમ નથી એજ રીતે તત્વજ્ઞાન વિના વાસ્તવિક શિક્ષણ શક્ય નથી.વિધાર્થીનોના પ્રશ્નો,શાળાની જરૂરિયાતો,શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર વગેરે માટે શિક્ષકે તત્વજ્ઞાની બનવું જરૂરી છે.તેણે દરેક પાસાઓનો વિચાર અને મૂલ્યાંકન કરી શિક્ષણ કાર્યમાં આગળ વધવું જોઈએ.
શિક્ષણ ક્રિયામાં તત્વજ્ઞાનનો ઉપયોગ
શિક્ષણ અને ફિલસૂફી વચ્ચેનો સંબંધ એક અંધ માણસ અને લંગડા માણસ વચ્ચેના સંબંધની જેમ જ છે. લંગડો માણસ જોઈ શકે છે પણ ચાલી શકતો નથી અને અંધ માણસ ચાલવા માટે સક્ષમ છે પણ જોઈ શકતો નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે, અંધ અને લંગડાએ એક બીજા સાથે મળીને કામ કરવું જોઈએ. લંગડા માણસ (ફિલસૂફી) દિશા બતાવશે અને અંધ માણસ (શિક્ષણ) તે પ્રમાણે આગળ વધ.તેથી દર્શન દિશા બતાવશે અને શિક્ષણ તે દિશામાં આગળ વધશે.
તત્વજ્ઞાન તેના પર વ્યવહારિક રૂપે વિચાર / હેતુ અથવા હેતુ અને શિક્ષણ કાર્ય પ્રદાન કરે છે.તત્વજ્ઞાન માર્ગનો નકશો અથવા દિશા બતાવે છે અને શિક્ષણ તે માર્ગ અથવા દિશા પર ચાલે છે.શિક્ષણ કાર્યમાં શિક્ષકે શિક્ષણને રસપ્રદ બનાવવા અવનવા ઇનોવેશન કરવા પડશે.તત્વજ્ઞાન વિચાર પ્રદાન કરશે કે કયો ટોપિક,કઈ રીતે ભણાવવો.તે શિક્ષકને દિશા બતાવશે.જેને આધારે શિક્ષકે નવીનતમ શિક્ષણ પ્રણાલી અને તે પણ રસપ્રદ અમલમાં મુકવી જોઈએ.
શિક્ષક ઈચ્છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરે,રમુજ વૃતિનો ઉપયોગ કરે કે પછી મુલાકાત પ્રયુક્તિનો ઉપયોગ કરી બાળકોને રસપ્રદ રીતે શિક્ષણ આપી શકે છે.શિક્ષકે શોધતા રહેવું અને શીખતા રહેવું જોઈએ.
વિવેકાનંદનું શિક્ષણનું દર્શન:
શિક્ષકના હાથમાં પુસ્તક ન શોભે,તેના હોઠે અને કર્મેથી જ્ઞાન શોભે.પુસ્તક માત્ર માર્ગ છે.શિક્ષક માટે જયારે પુસ્તકિયું જ્ઞાન આપે છે, શબ્દ પ્રયોજાય ત્યારે સમજવું કે તે શિક્ષકે પોતાની શિક્ષણ પદ્ધતિમાં તત્વજ્ઞાન સામેલ કર્યું નથી.વિવેકાનંદ પુસ્તક શિક્ષણની વિરુદ્ધ હતા અને માનતા હતા કે શિક્ષણ પુસ્તક અધ્યયનથી શીખવાનું નથી. શિક્ષણ એ જીવન નિર્માણની પ્રક્રિયા છે, માનવ નિર્માણની પ્રક્રિયા છે, વિચારોનું જોડાણ છે અને પાત્ર નિર્માણ છે.
સ્વામી વિવેકાનંદના શિક્ષણના દર્શન મુજબ,શિક્ષણ એ એક સતત પ્રક્રિયા છે અને તેમાં જીવનના પાસાંઓ શામેલ હોવા જોઈએ: શારીરિક, માનસિક, ભાવનાત્મક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક. તેમનું શૈક્ષણિક દર્શન વેદાંત અને ઉપનિષદ પર આધારિત છે.
વેદકાળથી વિજ્ઞાનને તત્વજ્ઞાન સાથે જોડાણ
વિજ્ઞાનનું તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનું વિજ્ઞાન એ બંને મૂળભૂત રીતે એક જ છે,કારણ કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. . બંનેનું ધ્યેય જ્ઞાનપ્રાપ્તિ છે.શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે પોતાના વિષયને ન્યાય આપવો જોઈએ.તત્વજ્ઞાનને હૈયે રાખનાર શિક્ષક શાળા કાર્ય દરમ્યાન યોગને પ્રાધાન્ય આપતો હોવો જોઈએ.બાળકનું અને પોતાનું મન શાંત રાખી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરતા તત્વજ્ઞાન શીખવે છે.
આધુનિક સંદર્ભે ગાયત્રીપ્રસાદ ભટ્ટના મતે, માનવી વિચારતો થયો, પ્રશ્ન પૂછતો થયો ત્યારથી તેનો વિકાસ શરૂ થયો. ‘હું કોણ ?’, ‘ક્યાંથી ?’, ‘શા માટે ?’ જેવા પ્રશ્નો અને તેની ખોજે ધર્મ અને તત્વજ્ઞાન આપ્યાં; ‘શા માટે ?’ અને ‘કેવી રીતે ?’ પ્રશ્નોએ વિજ્ઞાન વિકસાવ્યું અને અભિવ્યક્તિ આનંદ, સુખ-શાંતિની ઝંખનાએ ભાષા, સાહિત્ય અને લલિત કલાઓ આપી.
બાળકમાં જીજ્ઞાસા વૃતિ જન્મે તે માટે શિક્ષક કટિબદ્ધ રહેવો જોઈએ.બાળક પ્રશ્ન કરતો થાય તે તેનો પાયો છે,પ્રશ્નોથી જ જ્ઞાન અને સહ અભ્યાસની પ્રવૃતિનો વિસ્તાર થશે.
તત્વજ્ઞાન જીવનદર્શન અને જીવજ્ઞાન માટે
તત્વજ્ઞાન જીવનદર્શન અને જીવજ્ઞાન માટે છે.એટલે તેમાં જ્ઞાન અને મીમાંસાનું મહત્વ છે,જ્યારે ધર્મ જ્ઞાન ઉપરાંત આચરણ પર, કર્તવ્ય ફરજો પર વિશેષ ભાર મૂકે છે. આ કારણસર વિજ્ઞાન ધર્મ સાથે વિશેષ સંકળાયેલું રહે છે.વિધાર્થી અને શિક્ષક ધર્મ અને કર્તવ્ય પારાયણ બને તે જરૂરી છે.શિક્ષકે બાળકને જગતમાં અનેક ધર્મો અને સંસ્કૃતિઓ/પ્રજાઓની સમજ આપવી જોઈએ અને માનવ મુલ્યો તરફ દોરી જવા જોઈએ.
જાણીતા ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયમ્બીએ જગતના ઇતિહાસ ઉપર દસ ગ્રંથો લખ્યા છે, જેમાં બધા ધર્મો અને સંસ્કૃતિઓનો ઇતિહાસ આવરી લેવાયો છે.આ બધાંના નિચોડરૂપે ટૉયમ્બી જણાવે છે કે જે પ્રજા અને સંસ્કૃતિમાં મૂલ્યોનો હ્રાસ થયો તેમજ જે બદલાતા સમય પ્રમાણે પરિવર્તન ન કરી શકી તેનો નાશ થયો.આનો અર્થ એ પણ છે કે જે પ્રજામાં તેના ધર્મ અને વ્યવહારમાં સચ્ચાઈ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ન હતી તે નાશ પામી અથવા તો તે અલ્પવિકસિત રહી.
શિક્ષણ સંસ્થા સમાજ ઘડતરનો પાયો છે.શિક્ષકે પરિવર્તનશીલ બનવું પડશે.માનવ મુલ્યો અને માનવતા બંનેની સમજ સાથે બાળકનું ઘડતર કરવું જરૂરી છે.
-શૈલેષ રાઠોડ