-શૈલેષ રાઠોડ
સવાલોથી જ નવું સર્જન થાય છે.ગાંધીજી અને ન્યુટનના સવાલોએ ક્રાંતિ સર્જી.આફ્રિકામાં ગાંધીજીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા તે ઘટના પહેલી વાર નહોતી બની.કાળા લોકો સાથે આવો વ્યવહાર રોજીંદો ક્રમ હતો.જોકે ગાંધીજીએ તે ઘટનાને હળવાસથી ન લીધી.ગાંધીજીને સવાલ થયો કે હું કાળો છું એટલે આવો વ્યવહાર?આ પ્રશ્ન બાદ આફ્રિકાથી ગાંધીજીના મનમાં આઝાદીના બીજ રોપ્યા.
બાળકો-યુવાનો પ્રશ્ન પૂછતા થાય તે જરૂરી છે.સવાલ જાતને પૂછો કે પછી જાણકારને.જરૂરી છે જ્યાં અટકો,કુતુહલ થાય,અન્ત્યાંયાય થાય ત્યાં અચૂક સવાલ પૂછો.પ્રશ્ન જ ના હોત તો કોઈ ફિલસૂફીઓ, ઉપદેશો, વાર્તાઓ કે કહેવતો હોત જ નહિ. આપણી અંદર સવાલો પડેલાં છે એટલે જ તો આપણને એના જવાબો મેળવવાની જિજ્ઞાસા થાય છે.
મત માંગવા આવતો નેતા પાંચ વર્ષે એકવાર ફરકે છે, છતાંય આપણે સવાલ નથી પૂછતા. કોઈ અધિકારી બેજવાબદાર વર્તન કરે,કોઈ પોલીસકર્મી અન્યાયી વલણ અપનાવે,કોઈ નેતા મસમોટી વાતો કરી પાંચ વર્ષ તમારી સામે જ ન જુએ,ત્યારે આપણને સવાલ થવો જોઈએ.આપને આવા વ્યક્તિઓને સવાલ પુછવો જોઈએ.સવાલ પૂછાશે તો અન્યાય અટકશે.ખોટા કામો માટે ડર પેદા થશે.સવાલ તંત્રને જ નહિ સ્વયને પણ પૂછતાં રહેવું જોઈએ.શું યોગ્ય કરી રહ્યો છું ને!તેને કહેવાય આત્મખોજ.સવાલો આત્માને ઢંઢોળે છે.સવાલોમાં માણસાઈને જીવંત રાખવાની તાકાત છે.
હેતુ સિદ્ધ કરવા સવાલો પહેલા જોઈએ.જ્યાં સવાલ નથી ત્યાં વિકાસ કે નવીનતા નથી.ન્યુતનની ઓળખ પોતાની જાત સાથેના સવાલ જવાબથી થઇ.ઉપરથી પડેલ સફરજન જો તે ખાઈ ગયો હોત તો?ન્યુટને સફરજન પડવાની ઘટના બાદ સવાલ કર્યો કે,આ સફરજન નીચે જ કેમ આવ્યું?ઉપર કેમ ન ગયું?આ સવાલે વિશ્વને ગુરુત્વાકર્ષણના નિયમની ભેટ આપી.
વર્ગખંડમાં શિક્ષકો વારંવાર ટકોર કરે કે ના પ્રશ્ન પૂછતા રહો.વડીલો-માતા પિતા પણ વારંવાર ટકોર કરે સવાલ કરશો તો સમજણ પડશે.શાળા કોલેજોમાં કુતુહલ જગાડે તેવા તેવા પ્રશ્નો સતત પૂછાતા રહેવા જોઈએ. જ્યાં બાળકોના પ્રશ્નોના સવાલોને ઉડાવી દેવામાં આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.બાળકો કે યુવાનોને પોતાના સવાલના જવાબ ન મળવાથી નિરાશા જન્મે છે.નિષ્ફળતાના બીજ જાણ્યે અજાણ્યે આપણે અનુતર રહીને રોપીએ છીએ.
વોલ્ટેરે લખ્યું છે કે માણસને માપવો હોય તો તેના સવાલ પરથી માપો, જવાબ પરથી નહીં. સવાલોમાં મૌન હોતું નથી, પણ જવાબમાં મૌન હોઈ શકે છે. કોઈ પ્રશ્નનો જવાબ ચૂપ રહીને પણ આપી શકાય છે. બધા ઉત્તરો બોલકા હોતા નથી. વળી દરેક સવાલનો જવાબ હોતો નથી, પણ ઊભી થયેલી પરિસ્થિતિ જ તેનો સાચો ઉત્તર હોય છે.
વોટસઅપ યુનિવર્સીટીએ સવાલો કરતા અટકાવી દીધા છે.મેસેજમાં કોઈની નિંદા,ટીકા,ઈર્ષા કે બદનામી થયેલી હોય તેને વાંચવામાં અને ફોરવર્ડ કરવામાં આપણને વિશેષ આનંદ મળે છે.આપણે સચ્ચાઈને જાન્ય વિના મેસેજ ફોરવર્ડ કરી પહેલા મેં મેસેજ કર્યો અને પહેલા મને માહિતી મળી તેવા ગૌરવ સાથે બેજવાબદાર પ્રવૃત્તિ કરીએ છીએ.સત્ય એ છે કે,હું સચ્ચાઈને ઓળખું,ન્યાયની પડખે ઉભો રહું.ખોટા સામે પ્રશ્ન કરું.
પૂછતો નર પંડિત થાય,એ કહેવત જાણીતી છે.પ્રશ્ન પૂછવામાં શરમ ના રાખવી જોઈએ.જે પૂછતા નથી તે રહી જાય છે.આપણને સચ્ચાઈને દબાવી દેવાની અને તેના દ્વારા જાણ્યે અજાણ્યે અન્યાય કરવાની આદત પડી ગઈ છે.આપણે ક્યારેક સચ્ચાઈને પ્રશ્ન પૂછી સત્યને મારી રહ્યા હોઈએ છીએ.અપને આપણા અધિકારનો દુર ઉપયોગ પણ કરતા હોઈએ છીએ.
આપનો મહતમ સમય મેસેજ કે વિડીયોની સચ્ચાઈ જાણ્યા વિના ફોરવર્ડ કરવા માંડીએ છે.આપણે કયારેય મેસેજ કે વીડિયોના તથ્ય સામે સવાલ જ નથી કરતા.ઘેટાની ઘરેડ પડી હોય તેમ બસ જે વાંચ્યું,જોયું,સાંભળ્યું તેને સત્ય માની સચ્ચાઈને મારી નાખીએ છે.જોકે તેમાં આપણું જ્ઞાન મરણ પામે છે,આપની માનવતા મરણ પામે છે,આપની ઓળખ મરણ પામે છે.જે સવાલ કરી સચ્ચાઈ શોધે કે સત્યને સમજે તે જ જીવનને સાચી રીતે પામે છે.
આઈન્સ્ટાઈને એક યુવકે પૂછ્યું:જીવનનો અર્થ શું? આઈન્સ્ટાઈને કહ્યું: જીવનનો કોઈ અર્થ નથી. તે યુવક નિરાશ થઈને પાછો જતો હતો ત્યાં આઈન્સટાઈને એને ફરીથી બોલાવીને કહ્યું: જીવનનો કોઈ અર્થ નથી. પણ તમે ઈચ્છો તો જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો.જીવનને અર્થપૂર્ણ બનાવવા સત્યને ઓળખવું જોઈએ.સવાલો કરતા આવડવું જોઈએ.
સવાલોથી જ નવું સર્જન થાય છે. જેના લીધે જિંદગી ખુશખુશાલ રીતે પસાર થાય છે. સવાલો જ ના હોત તો જીવન નિરસ લાગે.