સફળતા અને સહકાર એકબીજા વિના ચાલી ન શકે.
મહાન વૈજ્ઞાાનિક માઈકલ ફેરેડે અનેક મુશ્કેલીને હટાવીને સફળ બન્યા હતા અને આપણને વીજળી-ઈલેક્ટ્રિસિટીની ભેટ આપી છે. તેઓ જ્યારે નાના હતા ત્યારે લંડનમાં રહેતા હતા. બે ટાઈમ ભોજન મેળવવા માટે તેઓએ છાપા વેચવાનું કામ પણ કર્યું છે. તેઓશ્રીને જ્યારે સમય મળતો ત્યારે તેઓ જૂના છાપા કાઢીને વાંચતા. છાપા વાંચવામાંથી તેમને ભણવાની ઈચ્છા જાગી.
પરંતુ પૈસાની કોઈ વ્યવસ્થા હતી નહી. તેથી ૧૩ વર્ષની ઉંમરે તેઓ એક બુક બાઈન્ડરને ત્યાં નોકરીએ રહ્યા. ત્યાં એક દિવસ તેમણે ઈલેક્ટ્રિસિટી ઉપર લેખ વાંચ્યો. તેમાંથી તેમને ઈલેક્ટ્રિસિટી ઉપર સંશોધન કરવાની ઈચ્છા જાગી. અનેક પ્રયોગો કર્યા પરંતુ નિષ્ફળતા જ મળતી રહી. પરંતુ તેઓ મનના મક્કમ હતા. એક દિવસ સોનાનો સૂરજ ઉગશે તેવી આશાએ તેઓ પ્રયોગો કરતાં જ રહ્યા. એક દિવસ તેમની આવી ધીરજ જોઈને એક સજ્જન પુરુષ માઈકલ ફેરેડેને શહેરમાં પ્રખ્યાત વૈજ્ઞાાનિક સર હમ્ફ્રી ડેવીનું એક પ્રવચન હતું તેમાં તેને લઈ ગયા.
પ્રવચનમાંથી આવ્યા પછી માઈકલ ફેરેડે એ વૈજ્ઞાાનિક સર હમ્ફ્રી ડેવીના પ્રવચનમાંથી સરસ મુદ્દા લખ્યા અને તેની નીચે પોતાના વિચારો પણ ટાંક્યા અને તેમને મોકલી આપ્યા.
પત્ર ઉપરથી વૈજ્ઞાાનિક સર હમ્ફ્રી ડેવી આ યુવાનની લાયકાત ઓળખી ગયા અને તેને પોતાને ત્યાં જ પ્રયોગશાળામાં નોકરીએ રાખી લીધો.
માઈકલ ફેરેડેને હવે સહકાર અને સાથ મળી ગયો,પ્લેટફોર્મ સારું મળી ગયું. અનેક પ્રયાસોના અંતે તેમણે સારાય વિશ્વને વીજળી ઈલેક્ટ્રિસિટીની ભેટ આપી. આજે એમના મક્કમ પ્રયત્નોના કારણે આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. આમ, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મનની મક્કમતા જોઈએ છે.
4.પરિવર્તન ચાલુ રાખો અને હકારાત્મક વલણ દાખવો: પરીવર્તન એ સર્વવ્યાપી છે અને સમયાંતરે પરીવર્તન થવું એ આવશ્યક છે. સમય સાથે તમે જેટલા આગળ હશો, લોકો વચ્ચે તમારું માન એટલુજ વધશે. પરીવર્તન ને સ્વીકારી તેને કાર્યક્ષેત્ર થી લઈને દરેક જગ્યાએ લાગુ કરવું જોઈએ. અન્ય સાથી પણ પરીવર્તન માં વિશ્વાસ રાખે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.
હકારાત્મક વલણ પણ એટલુજ આવશ્યક છે જેટલું પરીવર્તન છે. હકારાત્મક વલણનો અર્થ નથી કે હમેશા હસતું રહેવું. હકારાત્મક વલણ એ તમારા સાથીઓ ને એક અલગ શક્તિ પ્રદાન કરે છે અને તેમના માં આત્મવિશ્વાસ નો વધારો કરે છે. હમેશા હકારાત્મક વલણ રાખો.
5.તમારા નેતૃત્વ પર રચનાત્મક ટીકા માટે પૂછો:નેતૃત્વ ને સફળ બનાવવા માટે ઘણા લોકો નો સાથ સહકાર હોવો જરૂરી છે. જો તમે નેતૃત્વ કરી રહ્યા હોય તો આનો અર્થ એ નથી કે તમે દરેક સ્થિતિ એ સત્ય અને તમારો નિર્ણય હમેશા યોગ્ય હશે. આ માટે હમેશા તમે તમારા સાથી ના વિચારો ને જાણો અને તેમની પાસે થી તમારા નેતૃત્વ અને નિર્ણય માં રિવ્યુ માંગો. જે તમને કદાચ નવી દિશા પણ આપી શકે છે.
6.તમે જે લોકો તરફ દોરી રહ્યા છો તે લોકોને જાણો: તમે જે લોકો નું નેતૃત્વ કરી રહ્યા છો તેમણે જાણવા ખુબજ જરૂરી છે. તે લોકો ની નું ધ્યેય અને લક્ષ્ય પણ આપના નેતૃત્વ પર અસર કરશે. હમેશા તેમની જોડે સંપર્કમાં રહેવાથી તેમને નજીક થી જાણી શકાશે અને તેમનો કોઈ વિચાર પણ જાણવા મળશે. એક સફળ નેતૃત્વ કરવા માટે આપે ખુદ એવિ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી લોકો તમારી સાથે સરળતા થી સંપર્ક કરી વિચાર અને વ્યથા જણાવી શકે.
7.ટીમના સભ્યોને કામ સોપો અને શીખવો: ટીમ ના સભ્યો ને કામ સોપવાથી તેની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા ને સમજી શકાય છે. તમારી ટીમના સભ્યોની શક્તિ અને નબળાઇઓની પરખ કરવા માટે કામ સોપવું આવશ્યક છે. તે સભ્ય તમારી ટીમ ના ધ્યેય પ્રત્યે કેટલો વફાદાર છે તેની સમજણ મળશે. કોઈ સભ્યો એવ પણ હશે જેને તમાએ સોપેલ કાર્યમાં કે અન્ય કોઈ જગ્યાએ મુંજવણ હશે. એવિ પરિસ્થિતી મે તમે એમને એક મિત્ર બની વાત કરો અને જેતે સમસ્યા નું નિરાકરણ કરો.
8.આભાર વ્યક્ત કરો: ટીમ ના સભ્યો કે અન્ય સાથીદારોએ કરેલા કાર્ય નો નિર્વિલંબ આભાર માનો અને પ્રોત્સાહિત કરો. આમ કરવાથી તે સભ્ય ની સાથે અન્ય સભ્યનો આત્મવિશ્વાસ વધશે અને તે પણ પોતાના કાર્ય માં દક્ષતા દાખવશે તથા પૂર્ણ ક્ષમતા થી કાર્ય ને કરવા માટે પ્રેરણા પ્રાપ્ત કરશે. જો તમે કોઈ સફળતા કે સન્માન ને પ્રાપ્ત કરો તો તેનો શ્રેય પણ સાથી લોકો સાથે વહેચો અને આભાર વ્યક્ત કરો. જે સફળ નેતૃત્વ માટે ખુબજ જરૂરી છે.
સફળતાની યાત્રામાં નેક પ્રકારની અડચમો, અવરોધો, આફતો આવશે, પરંતુ એ બધાં સામે આપણે કમર કસવી જ પડશે. મનોબળ મક્કમ રાખવું જ પડશે. હતાશા-નિરાશાને ખંખેરી પ્રગતિના પંથે પ્રયાણ કરવું પડશે. આપણે જો આવું કરી શકીશું તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે જ.