સમાજ પરિવર્તન શીલ છે.
સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલીન યુગમાં ગુરુકુળોનું સ્થાન પાઠશાળાઓએ લીધું. આમ પાઠશાળાઓ દ્વારા શિક્ષણ આપવાની પ્રથા ચાલુ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ માટેના રહેવાનાં તથા અભ્યાસનાં સ્થળો અલગ થયા. ત્યાર બાદ ધીરે ધીરે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થતાં હાલની શિક્ષણ પ્રથા અસ્તિત્વમાં આવી.
માનવીને જીવન ના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે. માણસ ની આર્થિક, સામાજિક, માનસિક પતિસ્થીથી તેના શિક્ષણ પર આધાર રાખે છે.પરંતુ શું આજ ની શિક્ષણ પદ્ધતિ એટલી સક્ષમ છે???કે આજ ના સમયે જે યુવાનો પાસ આજ કાલ ની કહેવાતા શિક્ષણ પદ્ધતિ દ્વારા પોતાના પગભર થય શકે.??
આમ થવાનું કારણ પણ આજકાલ શાળા તથા કૉલેજો માં કામ કરતા કર્મચારીઓ તથા તેમનું સંચાલન કરતા વ્યક્તિઓ જ જવાબદાર છે… કારણ કે આજ ના સમય માં કોઈ જ માં બાપ પાસે પોતાના સંતાન માટે સમય જ નથી એટલા માટે તેઓ પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર નું કાર્ય એવા શિક્ષકો ના હાથ માં સોંપે છે જેઓ પોતે જ પૂરતું શિક્ષણ નથી લીધું તો આવા લોકો ના હાથ માં સોંપી ને આપણે જ આપના બાળકો ના ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છીયે…
કુવા માં હોય તો અવેડા માં આવે ને!
શિક્ષણએ દરેક વ્યક્તિ ના જીવન માં વિકાસ નો ભાગ ભજવે છે. પરંતુ આજ નું શિક્ષણ એ શા માટે આવું નથી કરી શકતું એનું કારણ એમને નાનપણ માં જ એવી શાળા માં શિક્ષણ મળે છે જેમાં કોઈ જ શિક્ષક શિક્ષક તરીકે ની સંપૂર્ણ લાયકાત ધરાવતા નથી. જે વ્યક્તિ ને વિદ્યાર્થીઓ ના વિકાસ ની સાથે કોઈ જ લેવા દેવા નથી એવા લોકો જ આજ કાલ ના શિક્ષકો છે.(કુવા માં હોય તો અવેડા માં આવે ને.) એટલે જ આપણે એક ઉજ્જવળ ભવિષ્ય ની તો ફક્ત કલ્પના જ કરવી જ રહી..
શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે.
આ જ પ્રશ્ન એક માતાએ મને આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘અમે પતિ-પત્ની બંને અમારા બાળકોને રોજ સાંજે ત્રીસ મિનિટ અમારી સાથે બેસાડીએ છીએ અને જીવનલક્ષી વિકાસ વિશે અમારા બાળકને વાતો કહીએ છીએ, છતાં જ્યારે અમે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે, પરંતુ પછી ગમે ત્યારે મારી સાથે તે ગમે તેમ વર્તે છે, કહ્યું માનતો નથી, બૂમ બરાડા પાડે છે અને પોતાને જે કરવું હોય તે જ કરે છે.’
જાણીતી ઘટના
એક જાણીતી ઘટના છે, ભારતના રાષ્ટ્રપતિસ્થાને રહી ચૂકેલા અને મહાન વૈજ્ઞાનિક તથા ઉત્તમ ભારતના ઘડવૈયા એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા શ્રેષ્ઠતમ જીવન-ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો ‘મારી માતાને’ પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ?
ત્યારે ડૉ. અબ્દુલ કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા એ વાત સાચી, પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું. તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે.
તેમણે મને હંમેશા શીખવ્યું છે કે, બેટા ! મુશ્કેલીઓથી ન ડરતો, હિંમતથી કામ કરજે, નિઃસ્વાર્થ કર્મ કરજે, પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ન ડરીશ, ખંતથી મહેનત કરજે અને હંમેશા પ્રામાણિક રહેજે. જીવનના આ સિદ્ધાંતો એ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યાં છે.’
શિક્ષણ આજ અને કાલ
શિક્ષકનું પરિવર્તન સૌથી પહેલી જરૂરિયાત છે.
પહેલાં વિદ્યાર્થીએ સતત ગુરુ યાને કી શિક્ષકનાં સાંનિધ્યમાં રહેવું પડતું, પણ આજે સમય બદલાયો છે. ગુરુ-શિષ્ય પરંપરા અને આશ્રમો હવે રહ્યા નથી. આધુનિક શાળાઓ બની છે, વડનાં ઓટલાં નીચે બેસી વિદ્યાભ્યાસ કરાવતાં ગુરુઓને સ્થાને હવે એ.સી. ક્લાસમાં બેસી ગ્રીનબોર્ડ અથવા કમ્પ્યૂટર એલ.ઈ.ડી. સ્ક્રીન પર સિલેબસ ચલાવતાં શિક્ષકો આવ્યા છે. પરિણામ સ્વરૂપે મોટા મોટા શહેરોથી માંડી, નાનાં નાનાં ગામડા અને કસ્બાઓ સુધી શાળાઓનો વ્યાપ વધ્યો અને શિક્ષક પણ વિશાળ અને વિરાટ બન્યો. દરેક સમયે શિક્ષણમાં નવા નવા પ્રયોગો થતા હોય છે.
દરેક જમાનાની માંગ એવી હોય કે, શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવું જ પડે. એ પરિવર્તન થાય છે શિક્ષક દ્વારા શિક્ષક બદલાયો એટલે શિક્ષણ બદલાયું છે. શિક્ષણ પરિવર્તન પામે તો જ સમાજ પરિવર્તન પામે અને એ માટે શિક્ષકનું પરિવર્તન સૌથી પહેલી જરૂરિયાત છે.
શિક્ષણની આજની સંકલ્પના તો સર્વાંગી વિકાસ, જન્મગત શક્તિઓનું પ્રગટીકરણ, વ્યક્તિમત્તાની અભિવ્યક્તિ, રોટલો રળવો અને કોળિયો મીઠો બનાવવો, શ્રેષ્ઠ જે કાંઈ છે તેને બહાર લાવવું-જેવી છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે : “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આણી શકે એ જ સાચો શિક્ષક. તો આપણા મનિષી જે. કૃષ્ણમૂર્તિ કહે છે : ‘સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે.’ આ થઈ શિક્ષણની ગઈકાલ અને આજ. શિક્ષણની આવતીકાલનાં એંધાણ આપણને કેટલાયે વિચારકોના ચિંતનમાંથી મળે છે.
સાંપ્રત શિક્ષણ પદ્ધતિમાં આવતાં પરિવર્તનોની નોંધ લેતાં એક બાબત સ્પષ્ટ તરી આવે છે કે સ્વતંત્રતા મળ્યા બાદ, પોતાની જ પ્રજાને માતૃભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની ઉત્તમ તક મળી હતી, જે તે વખતે ઝડપી લેવાઈ હતી. પરંતુ સમય જતાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા એટલે કે પ્રાંતીય ભાષા હોવી જોઈએ, આ હકીકતનું મહત્ત્વ ઘટતું ગયું અને તેને સ્થાને ઇંગ્લિશનો મોહ વધતો ચાલ્યો.
આ વ્યામોહને વ્યાજબી ઠરાવવા એવી દલીલ થતી રહી કે ઈંગ્લિશ વૈશ્ચિક ભાષા છે, આપણા નાગરિકોને વિદેશમાં વ્યવસાય મેળવવામાં એ જ મદદરૂપ થાય અને તેનાથી દુનિયામાં ભારતનું સ્થાન જમાવી શકાય. બાળ મનોવિજ્ઞાન, શિક્ષણ મનોવિજ્ઞાન અને ભાષાશાસ્ત્રના નિયમોને જાણીને સમજનાર સહુ શિક્ષણવેત્તાઓને આવી દલીલો ખૂબ પાંગળી લાગે.
પ્રાંતીય અને કેન્દ્રીય સરકારોએ તો વર્ષોથી જાણે નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાના નાગરિકોના મૂળભૂત અધિકારની ઘોષણા કર્યા બાદ તુર્તમાં જ એ જવાબદારી નિભાવવા અંગે ઉદાસીનતા સેવી. તેથી શિક્ષણકાર્ય વેપારીઓ, દાનવીરો અને અલગ અલગ પંથના આગેવાનો જેવા ખાનગી ક્ષેત્રના રખેવાળોની ઉદારતા અને વહીવટી સૂઝ ઉપર નભવા લાગ્યું, જેમાં શૈક્ષણિક દ્રષ્ટિ કે કુશળતાની ખાસ જરૂર ન જણાઈ.
આશા બુચ જણાવે છે કે,જો કે આજના શિક્ષણમાં બધું જ વિષાદ પ્રેરે તેવું છે એમ કહેવાનો આશય નથી. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને પરિણામે વિદ્યાર્થીઓ વધુ વિષદ્દ માહિતી મેળવતા થયા છે. તેઓ કેટલીક બાબતોમાં સ્વતંત્ર અભિપ્રાય ધરાવતા થયા છે એનો આનંદ છે. આજકાલ ‘ભાર વિનાના ભણતર’ની વાતો સાંભળીએ છીએ ત્યારે વીસમી સદીના પૂર્વાર્ધ અને સ્વતંત્રતા મળ્યા બાદના તરતનાં વર્ષોમાં અપાયેલ શિક્ષણ અને એ સમયે સર્વતોમુખી પ્રતિભા કેળવીને તૈયાર થયેલી પેઢીએ બીજાં ચાલીસેક વર્ષો સુધી આપેલ જીવનોપયોગી શિક્ષણ સાથે હાલના શિક્ષણની દિશા અને દશાની તુલના અનાયાસ થઇ જાય, ત્યારે ‘જૂનું તે સોનું’ એ કહેવત યથાર્થ થતી ભાસે એ નિર્વિવાદ છે.
શિક્ષણશાસ્ત્રીઓથી માંડીને શિક્ષકો, માતા-પિતા અને ખુદ વિદ્યાર્થીઓ જો આ ભારેખમ યાંત્રિક શિક્ષણ પ્રથામાંની યંત્રણામાંથી છુટકારો મેળવીને ‘ભાર વિનાના ભણતર’ની નવી દિશામાં પગરણ માંડશે, તો જ ભારતનું ભાવિ ખમીરવંતી પ્રજાના હાથમાં રહેશે. નહીં તો રોબોટ જેવા, શ્રમના મહિમાથી યોજનો દૂર હડસાયેલા માત્ર ધન પાછળ દોડનારાં યુવક-યુવતીઓની ફોજ ક્યાં આજે ઓછી છે તે તેમાં ઉમેરો કરવાની જરૂર પડે?
શિક્ષણની આવતીકાલ :
આજે દર સાત-આઠ વર્ષે જ્ઞાન બમણું થઈ રહ્યું છે. જ્ઞાનના આ કલ્પનાતિત વિસ્ફોટોને પહોંચી વળવા આજની શાળાઓ પાસે કોઈ જ આયોજન નથી. આવતીકાલે માત્ર શાળા સમય દરમિયાન જ્ઞાન કે માહિતી ભર્યા જ કરવી તેનું મહત્ત્વ જરાયે નહીં હોય. આવતીકાલે વિદ્યાર્થીને સતત અધ્યયન કરતો રાખવો પડશે, તેને અધ્યયન કરતા રહેવું પડશે.
એટલે તો આદ્રે મોરવાએ કહ્યું છે : ‘પુસ્તકાલય એ નિશાળ અને વિદ્યાપીઠનું એક આવશ્યક સાથી છે. હું તો એટલે સુધી કહીશ કે કેળવણી એ તો પુસ્તકાલયોના દરવાજાની ચાવી છે.’ એટલે શિક્ષકે પહેલા પુસ્તકાલય સુધી જવું પડશે અને પછી વિદ્યાર્થીઓને લઈ જવા પડશે. જ્ઞાન મેળવવાની ચાવી શીખવવી પડશે. ડૉ. ગુણવંત શાહ કહે છે : ‘શાળાની પ્રાર્થના-સભા શાળાનું હૃદય છે અને શાળાનું પુસ્તકાલય શાળાનું કાળજું છે.’ આવતીકાલે એ બંનેનું સંવર્ધન જરૂરી બનશે અને તેનું સંવર્ધન કરે તેવો શિક્ષક જરૂરી છે.
આવતીકાલે જ્ઞાનનો વિસ્ફોટ થશે, જ્ઞાન માત્ર પુસ્તકાલયોમાંથી જ નહીં આપી શકાય, પણ ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો જેવાં માધ્યમોને વર્ગમાં લાવવા પડશે. જ્ઞાન વધારે પ્રમાણમાં વ્યક્તિગત આપવું પડશે. કેળવણી જીવન પયર્ર્ંત બની રહેશે. વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તેવા કમ્પ્યુટર કાર્યક્રમ આવી ચૂક્યા હશે. ઈન્ટરનેટ કાર્યક્રમો જ્ઞાનનાં દ્વાર ખખડાવી રહ્યા હશે. ચોપડીઓ ઉપરાંત નેટવર્ક અને તેના ઉપર આધારિત હાઈપર્મિડિયા, ઈલેકટ્રોનિક બૂક, ઈલેક્ટ્રોનિક મેલ, ટેલિકોન્ફરન્સ અને ગ્લોબલ ક્લાસ, જેવાં ઉપકરણો શિક્ષણની સેવામાં રોમાંચક ભૂમિકા ભજવશે. આવનારા દિવસોમાં વિડીયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાનું પણ પ્રભાવી બનશે. દેશના સારામાં સારા શિક્ષકો વિડીયો કોન્ફરન્સનાં માધ્યમ દ્વારા એક જ સમયે દેશના જુદા-જુદા સ્થાને વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરશે.
આ રીતે માસ એજ્યુકેશનનું પ્રમાણ વધશે. હવેના વિદ્યાર્થીઓ ખભે વજનદાર દફતર કે હાથમાં ચોપડાઓનાં થોકડાંઓને બદલે ટેબલેટ કે અન્ય કોઈ આધુનિક ઉપકરણ સાથે આવશે. શિક્ષકે એ માટે પોતાને ઘડવો પડશે. આવા સંજોગોમાં શિક્ષકે વધારે સજ્જ આધુનિક અને ટેક્નોલોજીના જ્ઞાનથી સમૃદ્ધ થવું પડશે.
આવતી કાલે શિક્ષણ આપવાને બદલે શિક્ષણ મેળવવા માટેનું પર્યાવરણ મહત્ત્વનું બનશે. તેથી તો આઈન્સ્ટાઈનની વાત સાચી પડશે. તેમણે કહ્યું છે કે, ‘હું કદી શીખવતો નથી. હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.’ એટલે કે આવતીકાલની શાળાઓ અને તેના વર્ગખંડો આજના છે, તેવા નહીં જ ચાલે. કદાચ દીવાલ વિનાની અને શિક્ષક વિનાની શાળાઓ અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થીએ જ્ઞાન પાસે જવાને બદલે જ્ઞાન, મઝુમ કરતું વિદ્યાર્થી પાસે આવશે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓનું વિતરણ થવાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણનું વિતરણ થશે પણ તેમ છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો શિક્ષક જોઈશે જ. શિક્ષકે એ માટે તૈયાર રહેવું પડશે.
શિક્ષકના સ્વરૂપો ઉત્તરોત્તર બદલાયા છે.
શિક્ષકના સ્વરૂપો ઉત્તરોત્તર બદલાયા છે. એ આપણો જોયું. ધોતી, ખેસ અને માળા ધારણ કરેલ ગુરૂથી માંડી, બંડી અને થેલાવાળા માસ્તર, ત્યારબાદ પેન્ટ-શર્ટ પહેરેલાં શિક્ષકને આજકાલ ટાઈ-શૂટ-બૂટથી સજ્જ શિક્ષક આપણને જોવા મળે છે, પણ જે ઝડપે ટેક્નોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. એ જોતા આવતીકાલે રોબો-ટીચર ભણાવતા હોય તો નવાઈ નહીં? ચોંકવાની જરૂર નથી આ દિવસો દૂર હોય તેવું જરાય નથી.
આજે આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સની બોલબાલા વધી છે. તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સે એક અત્યંત બુદ્ધિશાળી માનવને ચેસમાં હરાવ્યા. આ જોતા રોબો-ક્લાસ એન્ડ રોબો ટીચર પણ શક્ય છે, પણ તેમ છતાં એટલું તો કહી શકાય કે ‘શિક્ષક’ યાને કી ‘ગુરુ’ની જરૂર પડશે. આ રોબો-ટીચરને બનાવવાય કોઈ માનવ-ટીચર તો જોઈશે ને ? યેસ ! તો પછી તૈયાર થઈ જાવ આધુનિક જમાનાના આધુનિક ટીચર બનવા.
ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું
બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું તે છે. આ વિશ્વમાં ઘણી બધી બુદ્ધિપ્રતિભાઓ થઈ ગઈ, તે દરેકે કંઈક સર્જન કર્યું છે અને આ વિશ્વને પોતાના મહાન સર્જનથી શણગાર્યું છે. દરેક બાળકમાં પણ આ સર્જનતાના કોઈક ને કોઈક અંશો રહેલા જ છે. દરેક બાળકમાં આવી કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી છે. માતા બાળકની ખૂબ જ નજીક હોય છે તેથી ખૂબ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માતા પોતાના બાળકમાં રહેલી આ વિશેષતાને ઓળખી તેને બહાર લાવવામાં કે ખિલવવામાં મદદરૂપ થઈ શકે છે.
જેમ કવિ કોઈ સારી કવિતા લખે ત્યારે, લેખક કોઈ સારું પુસ્તક લખે ત્યારે, વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ત્યારે અથવા તો કોઈપણ સર્જક પોતાનું મહાન સર્જન આ વિશ્વને આપે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે, તેવી જ રીતે એક માતાનું બાળક કંઈક વિશિષ્ટતા ધરાવતું હશે તો માતાને ખૂબ આનંદ થશે. તેથી, દરેક માતાને પોતાના બાળકની આ સર્જનાત્મકતાને યોગ્યતમ રીતે ઓળખી અને તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ અને આ શક્તિને વિકસાવવા માટે તેને પૂરતું પ્રોત્સાહન, તક અને તાલીમ મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. બાળકનાં ઉછેર કે કેળવણી ખામી ભરેલાં હોય તો તેની સર્જનશક્તિ મૂરઝાઈ જાય છે, મંદ પડી જાય છે, તેથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.