બારમાસી પર્યટન સ્થળના વિકાસ માટે પ્રવાસન વિભાગ તરફ સ્થાનિકોની મીટ
-શૈલેષ રાઠોડ
ટુરિઝમ ક્ષેત્રે કોઈ ટ્રેન્ડ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો હોય તો તે ઈકોટુરિઝમનો છે. ઈકોટુરિઝમ એટલે ટ્રાવેલિંગની સાથે પર્યાવરણના કુદરતી અને સંવર્ધનના ઈતિહાસની પ્રશંસા કરવી, ઈકોસિસ્ટમની અખંડિતતા ભંગ ના થાય તેનું ધ્યાન રાખવું, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સાથે સ્થાનિક લોકો માટે રોજગારીની તક ઊભી કરવી. ઈકોટુરિઝમ સાઈટ્સથી સમૃદ્ધ હોય તેવા તાલુકામાં ગુજરાતમાં ખંભાત મોખરે છે.ખંભાતમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.જોકે પ્રવાસન વિભાગની મસમોટી જાહેરાતો પછી પણ અહીં ગ્રાન્ટ ન વપરાતા સ્થાનિકોમાં અસંતોષ છે.
મધ્ય ગુજરાતમાં પ્રવાસન સ્થળોની કમી છે.તેવા સંજોગોમાં પ્રાચીન નવાબી નગરીનું ઈકોટુરિઝમ સ્થળ નેજા જેને મીની કેરેલાથી ઓળખવામાં આવે છે તે સ્વયંભુ વિકસી રહ્યું છે.આ વિસ્તાર કુદરતની અપ્રિતમ ભેટ છે.અહીના વિકાસ માટે અને રોજગારીની તકો માટે પ્રશાસનનું ધ્યાન ગયું છે.આ માટે સ્થાનિક તળાવના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જોકે નેજા,કનેવાલના વિકાસની દિશામાં કાર્યો થયા નથી.
રમણીય તાડના ઊંચા વૃક્ષો,વનરાઇઓમાં આવેલું અને કુદરતી સૌદર્યથી ભરપુર આનંદમય પ્રકૃતિ ધરાવનાર સ્થળ એટલે નેજાનું મીની કેરેલા.અમદાવાદથી તારાપુર ખંભાત જતાં માર્ગમાં નેજા આવે.ખંભાતથી ૪ કિમીના અંતરે અફાટ તાડના વૃક્ષોની વનરાજી પથરાયેલ છે.
અહી વૃક્ષો,પક્ષીઓ,તળાવ,પ્રાચીન નટેશ્વર મંદિર મંદિર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.અહી તમામ પ્રકારનું કુદરતી સૌંદર્ય અહીં રહેલું છે.
જો પદ્ધતિસર વિકાસ કરવામાં આવે તો પ્રવાસીઓ બારેય મહિના આવી શકે છે.નેજા સાથે એક દિવસીય પ્રવાસમાં કનેવાલ તળાવ,શિકોતર મંદિર સહીત ખંભાત દર્શનની પીકનીક પણ મળી શકો છો.અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ચોમાસુ. ત્યારે પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઇ નથી.જોકે રસ ઝરતી તાલફળી ખાવી હોય તો મેં મહિનો પ્રવાસ માટે ઉત્તમ છે.
પ્રકાશ ત્રિવેદી,ફોટોગ્રાફર
ફોટોગ્રાફર પ્રકાશ ત્રિવેદી જણાવે છે કે,અહી વિશાળ ઊંચા તાડના વૃક્ષો,હરિયાળા ખેતરો,છલકાતા નિકાસ અને તળાવને કારણે સુંદરતામાં વધારો થતા પ્રવાસીઓ ઉમટે છે.ખંભાત બહાર વસતા ખંભાતીઓ અને ચરોતરવાસીઓ નેજાને માણવા અવશ્ય આવે છે.અહી નૈસર્ગિક વાતવરણ અને ગ્રીનરી હોવાને કારણે અનોખો માહોલ જોવા મળે છે.આ સ્થળે આવેલા તળાવમાં બોટિંગ તેમજ શૌચાલય,ખાણીપીણી સહિતની વ્યવસ્થા ઉભી થાય તો પ્રવાસીઓને આકર્ષી શકાય છે.
પર્યાવરણવિદ પ્રા.હેમલ શાહ જણાવે છે કે-દરિયાકાંઠાની માત્રને માત્ર ફળદ્રુપ, કાંપવાળી તથા સતત પાણી મળી રહે તેવી જમીનમાં તાડના વૃક્ષો ઉગેે છે.નેજા અદ્ખંભુત નજરને કારણે સેલ્ભાફી પોઈન્તટ બન્માંયો છે.અહીના સીમ વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુ તાડના વૃક્ષો છે.સવારે આ વૃક્ષોમાંથી સવારે તાડી રસ ઉપરાંત હાલ ઉનાળો હોઈ તાડફડીનું મોટાપાયે વેચાણ ચરોતર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં થાય છે.
હાલ તાડફડીનું ઉત્પાદન શરૂ થતાં જ નેજા વિસ્તારોમાં મેળા જેવો માહોલ જોવા મળે છે. વહેલી સવારથી જ મજૂરી કરતા સ્થાનિકો ધારદાર દાતરડા જેવું સાધન લઈ નેજા વિસ્તારમાં આવી જાય છે. અહીં તાડફડીના ગોટાને તોડવાની તથા તેમાંથી ફળ બહાર કાઢવાની મોટા પ્રમાણમાં કામગીરી ચાલે છે.૩૦૦થી વધુ કારીગરો માત્ર નેજા સીમ વિસ્તારમાં તાડફડી બહાર કાઢવા માટે વહેલી સવારથી જ કાર્યરત બને છે.
નેજા પાસે ૯૦ એકર જમીનમાં તથા ઝાલાપુર ગામમાં ૨૦ એકર જમીનમાં વિસ્તારેલ ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાતના ખેડૂતો માટે ઉપલક આવકનું સાધન બન્યા છે.શેઢા ખેતીની જેમ જ તાડના વૃક્ષો ખેતરની ચોતરફ ઉગાડવામાં આવ્યા હોઈ ખેડૂતો વર્ષ દરમિયાન ડાંગર અને ઘઉં જેવી મુખ્ય ખેતી સાથે સાથે વહેલી સવારે તાડી રસ તથા હાલ ઉનાળે પાણીદાર તાડફડી ફળનું વેચાણ કરી સારી એવી આર્થિક આવક રળી શકે છે.આ બધું જ નેચરલ હોય નેચર શોખીનો માટે આ સ્થળને માણવા સમય ફાળવવો પડે.
એકદમ નેચરલ પ્રવાસની ઈચ્છા હોઈ તો અચૂક નેજા અને ભાલ પંથકના કનેવાલ-પરીયેજ તરફ પ્રયાણ કરજો.પોતાના વાહનમાં વધુ મજા આવશે.વહેલી સવારે અને સાંજે આ વિસ્તાર રમણીય લાગે છે.
તાડફડીનો વ્યવસાય કરતાં નંદુભાઇ દાજીએ જણાવ્યું હતું કે ખંભાતમાં નેજા, ઝાલાપુર, નવાગામ, સોખડા પંથકના મજૂરો તાડના ગોટાને ફોલવામાં માહિર હોય છે. તેઓ સફિતાઈપૂર્વક તાડફડી બહાર કાઢે છે. જેના કારણે તેમાંથી પાણી બહાર નીકળી જતું નથી. ઘઉંની કાપણી પૂર્ણ થઈ હોઈ તાડફડી મજૂરી મેળવવા માટેનું ઉત્તમ સાધન છે. ખંભાત-અમદાવાદ માર્ગ ઉપર પણ હજારોની સંખ્યામાં તાડફડીના વૃક્ષો આવેલ છે.
ચાર કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા તાડનાં વૃક્ષોમાંથી દૈનિક રૂ. ત્રણ લાખથી વધુની આવક સ્થાનિક ખેડૂતો મેળવે છે. નેજા સીમમાં ૧૩ વીઘાં જમીન ધરાવતા હીરાભાઇ પરમારના ખેતરમાં ૮૯ જેટલા તાડના વૃક્ષો આવેલ છે. આ વૃક્ષોમાંથી દર વર્ષે એક લાખથી વધુનું તાડી અને તાડફડીમાંથી આવક થાય છે. આ ઉપરાંત ૧૩ વીઘાં જમીનમાં ડાંગર અને ઘઉંનું ઉત્પાદન થાય છે.
મુંબઈથી આવેલા અભિષેક વ્યાસ જણાવે છે કે હું દિવાળીના વેકેશનમાં ૧૫ દિવસ પરિવાર સાથે ખંભાત આવું છું અને અહી નિયમિત મોર્નીગ વોક માટે આવું છું..અમે ઘરેથી ખાણીપીણી લઇ જઈ પીકનીક પણ માનવીએ છીએ.અહી મનની શાંતિ માટે અને વિશેષ યોગ માટે લોકો આવે છે.અહી વહેલી સવારે કુદરતના સાનિધ્યને માણવાથી જગની વ્યાધિ-આધી-ઉપાધિમાંથી મુક્તિ મળી હોય તેવો અહેસાસ થાય છે.પ્રવાસન વિભાગ દ્વારા અહી વિકાસ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
અક્ષર વાઘેલા ,ફોટોગ્રાફર
ફોટોગ્રાફીના શોખીન અક્ષર વાઘેલા જણાવે છે કે-વર્ષભર ભણવા-ભણવામાં રત રહેતા સંતાનોને જીવન જીવવાની પણ મજા આવે અને પ્રવાસ-પર્યટન, રમત-ગમત, મ્યુઝિક-મસ્તી, એડવેન્ચર એક્ટીવિટીઝ વગેરેમાં જોડાઈને વેકેશન સમયનો સદુપયોગ થાય તે વાલીઓની ફરજ પણ છે.હું છેલ્લા ૩ વર્ષથી ખંભાત ભાલ પંથકના નેજા,પાંદડ,તરકપુર,મીતલી,જીણજ-ગોલાણા,ગલીયાના,કનેવાલ,પરીયેજ,ચોરખાડી સહિતના વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક જનજીવન ઉપરાંત પ્રકૃતિ ને પક્ષીઓના ફોટોગ્રાફ્સ લઉં છું.વિદેશી પંખીઓનાં પ્રિય સ્થળ એવા કનેવાલ-પરીયેજ સરોવરમાં સુંદર લેન્ડસ્કેપ પણ કેપ્ચર થાય છે.નેચરલ ફોટગ્રાફીના શોખીનો માટે તો આ સ્થળ સ્વર્ગ સમાન છે.
ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ખંભાત ઉત્તમ લોકેશન
ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ખંભાત તાલુકામાં નેજા ખાતે ખુબ સારા લોકેશન છે.અહી વિડીયો સોંગનું અમે ફિલ્માંકન કર્યું છે.અદભુત નજરો કેમેરામાં કેદ થઇ જાય છે.અગાઉ અનેક ગુજરાતી ફિલ્મોનુ અહી શુટીંગ થયું છે.ત્યારે પ્રવાસન વિભાગે સક્રિય ભૂમિકા ભજવી અહી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવી જોઈએ.
-ગોવિંદભાઈ બારોટ,નિર્માતા
ક્યાં ક્યાં શુટિંગ થાય છે?
ખંભાતથી ૪ કિમી અંતરે આવેલા નેજાથી લઇ ઝાલાપુર,ખંભાતથી ૧૬ કિમી દુર કનેવાલથી લઇ પરીએજ,ખંભાત થી ૬ કિ.મી રાલેજ શિકોતર મંદિર અને દરિયા કિનારો,રાલેજથી ૬ કિમી દુર ચોરખાડી વિસ્તાર,વડગામનો દરિયા કિનારો ઉત્તમ સ્થળો છે.જ્યાં સમયાંતરે શુટિંગ થાય છે.
બોટિંગની સુવિધા ઉપલબ્ધ
ખંભાતથી નેજા અને કનેવાલ માર્ગ ગ્રામ્ય સંસ્કૃતિ પ્રદર્શિત કરતો માર્ગ છે.કનેવાલ ખાતે રંગબેરંગી પક્ષો તેમજ બોટિંગ ની વ્યવસ્થા હોઈ સુદર વિડીયોગ્રાફી થઇ શકે છે.અહી રામના રમકડા,જય શિકોતર માં,પરદેશી માયા,મનખા નો મેળો સહિતના ફિલ્મોના શુટિંગ થયા છે.નેજાના કુદરતી નજારાને કેદ કરવા ગુજરાત બહારથી ફોટોગ્રાફર આવે છે.
રાજ્યભરમાં હાલ તાડફળીની નિકાસ
ખંભાત ગ્રામ્યના વેપારી આસફિ શેખના જણાવ્યા મુજબ તાડના વૃક્ષ ઉપરથી મળતી તાડફળી ઉત્તમ કવાલિટીની અને ઉનાળાની લૂ વરસાવતી ગરમીમાં આરોગ્યપ્રદ હોય છે. ગરમીમાં શીતળતા અર્પતી તાડફળીની વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, આણંદ, નડિયાદ, ભાવનગરમાં મોટાપાયે નિકાસ થાય છે. ગુણવત્તાને કારણે તેની માગમાં સતત વધારો થાય છે.
નેજાના ખેડૂત નરસિંહભાઈ ચૌહાણના મત મુજબ તાડના વૃક્ષો ખેડૂતો માટે ત્રણ રીતે આર્શિવાદરૂપ હોય છે. એક તો તાડના વૃક્ષમાંથી બારેય માસ તાડી મળે છે. જેનું વેચાણ થાય છે તથા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. બીજું તાડફળીમાંથી પણ સારો એવો નફો મળે છે અને ત્રીજુ તાડના પાન ઘરની છત માટે તથા સાવરણી બનાવવા પણ ઉપયોગી છે. વગર રોકાણે તગડી કમાણી તાડના વૃક્ષોનું આયુષ્ય ૯૦ વર્ષથી વધુ
ખેડૂત આશાભાઈ પટેલના જણાવ્યા મુજબ તાડના વૃક્ષોનું આયુષ્ય ૯૦થી વધુ વર્ષ હોય છે. તેના ઉછેર માટે ખાતર, દવા, બિયારણની જરૂર નથી. તે આપમેળે ઉગે છે. શેઢા ઉપર તે ઉગતા હોઇ ખેતરને નુકશાન થતું નથી. તેમાંય સીમ વિસ્તારમાં વગર રોકાણે તગડી કમાણી કરી આપતા વૃક્ષો દરિયાઈ ખાડી વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી છે.