કોરોનાની બીમારીનો હાઉ ધીમેધીમે જીવન પધ્ધતિ બદલી રહ્યું છે.શિક્ષણ થી લઈ આપણી લાઈફ સટાઇલ બદલવા આપણે મજબૂર બન્યા છે.આવા સમયે ડોપ્રેશન અને રોગપ્રતિકારક શબ્દની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.હકારાત્મકતા,પ્રેમ અને ભાઈચારો મિત્રતાની પ્રથમ જરૂરિયાત છે.બાઇબલનું મૂળ શિક્ષણ એ છે કે “હકારાત્મક બનો અને એક બીજાને પ્રેમ કરો”.આ પ્રેમ એટ્લે કે મિત્રતા-ભાઈચારાની ભાવના.ધર્મ સાથે વિજ્ઞાન પણ પ્રેમ અને હકારાત્મક ભાવના થકી ભાઈચારો કેળવવાની સમજ આપે છે.જે હકારાત્મક બની પ્રેમ અને લાગણીઓ વહેચે છે,ભાઈચારો વિકસાવે છે તે લાંબુ આયુષ્ય ભોગવે છે.
“હવે તમે સત્યની આણ માથે ચડાવી છે અને તમારાં અંતરને શુધ્ધ બનાવ્યાં છે,એટ્લે ધર્મબંધુઓ ઉપર સાચો પ્રેમ રાખી શકશો;તો એકબીજા ઉપર હ્રદયના ઉમળકાથી પ્રેમ રાખજો.( 1 પિતર 1:22)
રોગનું મૂળ આપણી આદતો અને વાયરસ.આ બન્ને રોગના પ્રવેશદ્વાર છે એમ માની લો.રોગ ગમે તે રીતે પ્રવેશવા પ્રયત્ન કરે તો પણ રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો તમે બચી જવાના.જીવનમાં તમે હૈયે પ્રેમ અને ભાઇચારાની ભાવના થકી મિત્રો બનાવશો તો ખુશી ભેટ સ્વરૂપે મળશે.તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.એટલા માટે લાંબા આયુષ્ય માટે પોજીટીવ બની મિત્રો બનાવવા જોઈએ તે પણ એક કે બે નહીં પરંતુ એક મોટું ગ્રુપ હોવું જોઈએ.ઈસુના શિષ્યો સાથેનું ગ્રૂપ પણ એક ઉત્તમ નમૂનો છે.શિષ્યોની વિચારધારા પણ એજ સૂચવે છે કે,ઇસુ ખ્રિસ્ત આપણો ઉધ્ધારક તથા આપણો પરમ મિત્ર છે.
મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી કરવામાં આવેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકોનું સોશિયલ સર્કલ મોટું અને સારું હોય છે તેઓ એકલા રહેતા લોકોની સરખામણીએ વધારે લાબું જીવન જીવે છે.મિત્રતા ત્યારે જ ખીલી ઊઠે જ્યારે તમારામાં માફ કરવાની તૈયારી હોય. ઇસુનો ક્રાંતિકારી સંદેશ છે કે, ‘તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો’ એક વાર ઇસુએ માફી વિશે પોતાના શિષ્ય પીતરને કહ્યું કે સાત વાર નહીં, પણ સિત્તેર વખત સાત વાર ક્ષમા કરવી જોઇએ.
કસરત(એક્સર્સાઈઝ)ની સરખામણીએ પણ આયુષ્ય બે ગણુ વધી જાય છે.તેવી જ રીતે સારા મિત્રો મળવાથી જીવન હકારાત્મક બની જાય છે.પોતાના ત્રણેક વર્ષના જાહેર જીવનના અંતે ઇસુએ પોતાના શિષ્યોના પગ ધોઇને હકારાત્મકતા,નમ્રતા અને સેવાનો સંદેશ આપ્યો હતો.આપણે ઓછામાં ઓછા સર્કલમાં 6થી 7 મિત્રોને સામેલ કરવા જોઈએ અને તેમની સાથે પણ હકારાત્મકતા,નમ્રતા,પ્રેમનો આત્મિક ભાવ રાખવો જોઈએ.
હવે ધર્મ સાથે વિજ્ઞાનનુ અનુસંધાન જોડીએ.આ અંગે જયપુરના એસએમએસ હોસ્પિટલના સાયકોલોજીસ્ટ ડો.અનિલ તાંબી જણાવી રહ્યા છે…
હેલ્થ પેરામીટર સારું રહે છે.જો તેમ હકારાત્મક છો, પ્રેમ અને ક્ષમાનો ગુણ છે તો તમારે મિત્ર વર્તુળ મોટું બનશે.ઉત્તમ અને મોટું મિત્ર વર્તુળ હોવાથી ડિમેન્શિયા (ઉંમરની સાથે યાદશક્તિ ઓછી થવી)નું જોખમ ઓછું થાય છે.વ્યક્તિ સ્વસ્થ રહે છે, હોર્મોન સંતુલિત રહેવાની સાથે બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે.તેનાથી હૃદય અને મગજ બંને સ્વસ્થ રહે છે. જેમને વધારે મિત્ર અને સોશિયલ સર્કલ મોટું નથી હોતું, તેમનું હેલ્થ પેરામીટર જેમ કે, બ્લડ પ્રેશર, બોડી માસ ઈન્ડેક્સ, વેસ્ટ સાઈઝ અને ઈન્ફ્લેમેન્શનથી બહાર થઈ જાય છે. હંમેશાં જોવા મળે છે કે, મેદસ્વિતાથી પીડાતા લોકોની મિત્રતા મોટાભાગે મેદસ્વિ લોકો સાથે થાય છે, જો તેઓ પાતળા લોકો સાથે મિત્રતા કરે છે, તો તેઓ તેમને પાતળા બનવા માટે પ્રોત્સાહિત કરશે. તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે, તેમની સાથે જીમમાં જાય છે, તેમની ફિટનેસ મેઈન્ટેન કરવામાં મદદ કરે છે.અધ્યાત્મિક મિત્ર વર્તુળ ખરાબ આદતોમથી બહાર કાઢશે,પ્રાર્થનાના ખોરાક થકી હુંફ પૂરી પાડશે.જે તમને અનેક બીમારીઓમાથી ઉગારશે.
એંક્ઝાઈટી અને ડિપ્રેશન ઓછું થઈ જાય છે.ઇસુ મહતમ સમય શિષ્યો સાથે પસાર કરતાં હતા.પોતાના વિચારો તેમની સાથે શેર કરતાં હતા.મિત્રોની સાથે રહેવાથી જીવનમાં ઈકોનોમિક અને સોશિયલ સિક્યોરિટી રહે છે.સેન્સ ઓફ સિક્યોરિટી રહે છે. જ્યારે આપણે મિત્રોને વારંવાર મળીએ છીએ, ત્યારે આપણે આપણા મનની વાત શેર કરીએ છીએ.મિત્રોની સાથે દલીલ કરવાથી રાહત થાય છે. તેનાથી મેન્ટલ ગ્રોથ વધે છે.વારંવાર મળવાથી એંક્ઝાઈટી અને ડિપ્રેશન ઓછું થઈ જાય છે. તેનાથી આયુષ્ય વધી જાય છે. સ્ટ્રેસ સંબંધિત બીમારી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને હૃદયની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
ગ્રુપમાં બનાવો મિત્ર.કિશોરોએ ગ્રુપમાં મિત્રતા કરવી.ઘણા બધા મિત્રો બનાવો જેથી કરીને તમે કોઈની પણ સાથે તમારા મનની વાત શેર કરી શકો અને જરૂર પડવા પર તમે તેમની પાસેથી મદદ માગી શકો. મદદ માગવાથી અને મદદ કરવાથી સંબંધો મજબૂત બને છે.
પ્રેમ,ક્ષમા,દયા જેવા ગુણોને હૈયે વસાવી..ચાલો મિત્રો દ્વારા જીવન રેખાને મજબૂત બનાવીએ.મિત્રો જીવનમાં આનંદના રંગ પુરશે.
-શૈલેષ રાઠોડ