લવિંગની ચા ને દરરોજના ડાયટ પ્લાનમાં જરૂરથી એડ કરો, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે વાંચો અંદર. હાલના સમયમાં કોરોના મહામારી જેવી ગંભીર બીમારી વિશ્વ આખામાં ફેલાયેલી છે, અને લોકો તેનાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા રહે છે. તેવામાં તમે લવિંગની ચા ને તમારા રોજીંદા ડાયટનો ભાગ બનાવી શકો છો. નિષ્ણાંતોના કહેવા મુજબ, લવિંગની ચા પીવાનો સારો સમય સવારનો છે.
ભારતમાં સદીઓથી લવિંગનો ઉપયોગ એક મસાલા તરીકે થઇ રહ્યો છે. ભોજનમાં સુંગધ વધારવા ઉપરાંત મસાલાનો ઉપયોગ આરોગ્ય મજબુત કરવા માટે ઉકાળામાં પણ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર લવિંગને રોજના ડાયટનો ભાગ બનાવી શકાય છે. તમારી ડાયટમાં લવિંગને સામેલ કરવાના ઘણા ઉપાય છે. સૌથી સરળ અને સહેલી રીત લવિંગની ચા હોઈ શકે છે.
લવિંગની ચા માટે જરૂરી સામગ્રી :
એક મોટી ચમચી આખા લવિંગ.
એક કપ પાણી.
કેવી રીતે બનાવવી લવિંગની ચા? એક વાસણમાં એક કપ પાણી અને લવિંગ નાખીને તેને ઉકાળો. લગભગ 5 મિનીટ પછી ગેસ બંધ કરી દો. આ ચા ને એક કપમાં કાઢ્યા પછી તમે ઈચ્છો તો મીઠાશ માટે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. પરંતુ મધ નાખવું તમારી ઉપર આધાર રાખે છે. લવિંગની ચા પીવાનો સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે. તે સુનિશ્ચિત કરો કે એક કપથી વધુ લવિંગની ચા નો ઉપયોગ ન થાય. જો તમે કોઈ પ્રકારનો ઈલાજ કરી રહ્યા છો, તો તેને ડાયટનો ભાગ બનાવતા પહેલા લવિંગની ચા વિષે ડોક્ટરની સલાહ લઇ લો.
લવિંગની ચા પીવાના ફાયદા : લવિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ મળી આવે છે. તે ફ્રી રેડીકલ્સથી શરીરમાં થતા નુકશાન વિરુદ્ધ લડે છે. તે ઉપરાંત ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. લવિંગમાં રોગાણું વિરોધી, વાયરસ વિરોધી, શુક્ષ્મજીવ વિરોધી ગુણ મળી આવે છે. જેનાથી સામાન્ય સંક્રમણ, શરદી અને ખાંસી દુર થાય છે.
લવિંગની ચા પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. સારા પાચનથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. મેટાબોલીક દરને વધારીને લવિંગની ચા વજન ઘટાડવાનું કામ કરે છે. પેઢા અને દાંતોના દુઃખાવામાં પણ લવિંગની ચા ફાયદાકારક હોય છે. લવિંગનો સોજા વિરોધી ગુણ પેઢાના સોજા ઓછા કરે છે. આ રીતે તમારા દાંતના દુઃખાવામાં રાહત મળી શકે છે. તે ઉપરાંત લવિંગની ચાનું સેવન તમારા મોઢામાંથી બેક્ટેરિયાને પણ દુર કરવામાં મદદ કરશે.
છાતીમાં લોહીનો સંગ્રહ કે સાઈનસથી પીડિત લોકોને લવિંગની ચા પીવાની સલાહ આપવામાં આવે છે. લવિંગમાં રહેલા યુજેનોલ (ઔષધીય મીઠું) કફ સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. લવિંગ બેક્ટેરિયાથી થતા સંક્રમણ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે લવિંગમાં વિટામીન ઈ અને બીજા વિટામીન મળી આવે છે.
લવિંગ શરીરમાંથી નુકશાનકારક ટોક્સીન્સને બહાર કાઢે છે. નુકશાનકારક ટોકસીન્સને કારણે ત્વચાએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરનું લવિંગની ચા ઈજા, ત્વચાની સમસ્યા અને ફંગલ સંક્રમણમાં મદદ પહોંચાડવાનું કામ કરે છે.